AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: 3 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનશે, વિદેશ પ્રધાન એસ જયશંકરે આપ્યુ નિવેદન, જુઓ Video

Rajkot: 3 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનશે, વિદેશ પ્રધાન એસ જયશંકરે આપ્યુ નિવેદન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2024 | 1:49 PM
Share

વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે સુરતની મુલાકાત બાદ આજે તેમણે રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં તેમણે પ્રમુખસ્વામી હોલ ખાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી.

વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે સુરતની મુલાકાત બાદ આજે તેમણે રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં તેમણે પ્રમુખસ્વામી હોલ ખાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી.

રાજકોટમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે નિવેદન આપ્યુ કે અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. વિકસીત ભારતને બનાવવા આપણે પરીશ્રમ કરવો પડશે. આપણા શાસકોને સમર્થન આપવું જોઇએ. દુનિયામાં ભારતની છબી બની હોય તો તેમાં ગુજરાતીઓનો ફાળો છે.

આ પણ વાંચો-ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાં, ગાંધીનગરમાં યોજી બેઠક, જુઓ Video

વિદેશ પ્રધાને જણાવ્યુ કે એવો કોઇ દેશ નથી જ્યાં ગુજરાતી ન વસતા હોય. બે-ત્રણ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી બનશે. ભારત સરકાર 80 કરોડ લોકોને રાશન આપે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">