AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : વીરપુરમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજળી મળે તેવી PGVCL સમક્ષ ખેડૂતોની માગ

રાજકોટના વીરપુરમાં મીની વાવાઝોડુ અને કમોસમી વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે અઠવાડિયા બાદ પણ શરૂ થયો નથી. વીજળી વગર ખેડૂતોના વાવેતરને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ નથી.

Rajkot :  વીરપુરમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજળી મળે તેવી PGVCL સમક્ષ ખેડૂતોની માગ
PGVCL
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 2:10 PM
Share

Rajkot : રાજકોટના વીરપુરમાં PGVCLની બેદરકારીને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વીરપુરમાં મીની વાવાઝોડુ અને કમોસમી વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે અઠવાડિયા બાદ પણ શરૂ થયો નથી. વીજળી વગર ખેડૂતોના વાવેતરને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ નથી. ખેડૂતોના કુવા કે બોરમાં પાણી છે પણ વીજળી ન હોવાથી પાણી ખેંચી શકાય તેમ નથી. જેથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.

આ પણ વાંચો : Rajkot : જૂનાગઢની યુવતીની હત્યાનો કેસ, આરોપી સૂરજ ભૂવા સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માગ

ચોમાસું શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે અને ખેડૂતો અત્યારે નવા પાક માટે વાવણીની તૈયારીમાં લાગેલા છે. એવા સમયે ખેડૂતો પાસે વીજળી નથી. વરસાદ શરૂ થાય તે પહેલા વહેલામાં વહેલી તકે વીજળી મળે તેવી PGVCL સમક્ષ ખેડૂતોની માગ છે.

સુરતના માંગરોળમાં કમોસમી વરસાદનું નુક્સાની વળતર આપવા ખેડૂતોએ કરી હતી માગ

તો આ અગાઉ પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકસાન થયુ હતુ. સુરતના(Surat)  માંગરોળમાં પાક નુક્સાનીનું વળતર આપવામાં બાકાત રખાતાં ખેડૂતોમાં(Farmers)  રોષ વ્યાપ્યો હતો. ખેડૂતોએ પરસેવો પાડીને મહામૂલો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદના(Rain)  કારણે પાકને મોટાપાયે નુક્સાન ગયું હતુ.ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે તેમણે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં માંગરોળ તાલુકાને સરકારી સહાયમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. જેને પગલે ખેડૂતોએ સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સહાયની માગ કરી હતી.

તો બીજી તરફ માંગરોળના વિસ્તરણ અધિકારીએ સહાયના નિયમોનું કારણ આપ્યું હતુ. અધિકારીએ કહ્યું કે- 33 ટકાથી વધુ વરસાદ હોય તો જ સહાય મળવાપાત્ર થાય હતા. માંગરોળ તાલુકામાં 33 ટકા કરતા ઓછો વરસાદ હોવાથી માંગરોળ તાલુકાને પસંદ કરવામાં નથી આવ્યો. તેમ છતાં વરસાદ આવ્યો ત્યારે જ ગ્રામસેવકોને માંગરોળ તાલુકામાં સર્વેની સૂચના આપી હતી. પરંતુ ખેડૂતો તરફથી કોઈ અરજી કે ફરિયાદ મળી નથી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
g clip-path="url(#clip0_868_265)">