વડોદરામાં કેજરીવાલ અને ભગવંત માનના રોડ શો પહેલા જ વિરોધનો વંટોળ, જુઓ VIDEO

AAP રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને ભગવંત માન આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે,ત્યારે વડોદરામાં તેમના આગમન પહેલા સુરસાગર તળાવ, ન્યાય મંદિર અને કાલાઘોડા વિસ્તારમાં કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર લાગ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 12:52 PM

Vadodara :  વડોદરામાં કેજરીવાલ (Arvind kejriwal) અને ભગવંત માનના (Bhagwant Mann) રોડ શૉ પહેલા જ તેમનો વિરોધ થયો છે. કેજરીવાલના વિરોધમાં પોસ્ટર લાગ્યા.  શહેરના સુરસાગર તળાવ, ન્યાય મંદિર અને કાલાઘોડા વિસ્તારમાં કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર લાગ્યા હતા. જોકે આમ આદમી પાર્ટીના(AAM Admi party)  કાર્યકરોએ પોસ્ટર ફાડી નાખ્યા હતા.

ગુજરાતનું રાજકારણ ગરમાયુ

દિલ્લીના (Delhi) પ્રધાનનો વીડિયો સામે આવ્યા બાદ રાજકોટમાં (Rajkot) કેજરીવાલ પર કટાક્ષ કરતા પોસ્ટર લાગ્યા છે. જેમાં કેજરીવાલનો ધાર્મિક પહેરવેશવાળો એક ફોટો એડિટ કરીને લગાવાયો છે. અને તેમાં હિન્દુ દેવી-દેવતાઓને ન માનતા હોવાનું લખાણ લખવામાં આવ્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ” હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં ” અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે “આ છે આમ આદમી પાર્ટીના (AAP) શબ્દો અને સંસ્કાર”. આવું લખીને કટાક્ષ કરવામાં આવ્યો છે.

દિલ્લીના પ્રધાનનો વીડિયો સામે આવ્યા બાદ, ગુજરાતમાં કેજરીવાલ પર કટાક્ષ કરતા પોસ્ટરને લઇ રાજકારણ ગરમાયું છે, ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે AAP નેતાના નિવેદન બાદ કેજરીવાલની માનસિકતા ખુલ્લી પડી છે. ગુજરાતમાં આપના સુપડા સાફ થઇ જશે. સાથે જ કહ્યું કે ગુજરાત હિન્દુત્વની લેબોરેટરી છે..એટલે ગુજરાતની જનતા ક્યારેય આવા લોકોને સ્વીકારે પણ નહીં અને મત પણ ન આપે.

Follow Us:
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">