Panchmahal : પાવાગઢમાં મેઇન્ટેનન્સના કામ માટે 16 થી 21 જાન્યુઆરી સુધી રોપવે સેવા રહેશે બંધ

રોપ વે (Ropeway) ચલાવનારી કંપની વાર્ષિક તેમજ અર્ધ વાર્ષિક મેઇન્ટેનન્સ કરતી હોય છે. તે જ રૂટિન પ્રક્રિયા પ્રમાણે પાવાગઢમાં પણ  રોપ વેની મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:42 AM

પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મંદિરમાં આવતીકાલ 16 જાન્યુઆરીથી રોપ વે સેવા છ દિવસ માટે  બંધ રહેશે. આથી પાવાગઢ જતા ભક્તજનોએ પગથિયા ચઢીને મંદિર સુધી પહોચવું પડશે. મંદિર સુધી લઈ જતો રોપ વે મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવશે. પાવાગઢમાં તહેવારોમાં તેમજ રવિવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને  પાવાગઢના દર્શન માટે  સતત રોપ વેનો ઉપયોગ  થતો હોય છે આથી રોપ વે ચલાવનારી કંપની વાર્ષિક તેમજ અર્ધ વાર્ષિક  મેઇન્ટેનન્સ કરતી હોય છે  તે જ રૂટિન પ્રક્રિયા પ્રમાણે પાવાગઢમાં પણ  રોપ વેની મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.  21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ  કરવામાં આવશે.

રોપ વે અગાઉ ભારે પવનને  કારણે રાખવામાં આવ્યો હતો બંધ

પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં  ભારે પવન ફૂંકાવાને પગલે 5 જાન્યુઆરી રોપ વે બંધ રાખવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવન રહેતા રોપ વે સંચાલકોએ નિર્ણય  લીધો હતો કે પાવાગઢમાં રોપ વે સેવા બંધ  રાખવામાં આવે.  જોકે તે સમે રોપ-વે સેવા કેટલાંક સમય સુધી બંધ રહેતા યાત્રિકો હેરાન થયા હતા. રોપ વે સંચાલકોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા માટે ભારે પવનમાં રોપ વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલા અંબાજી રોવ પેનું કરવામાં આવ્યું મેઇન્ટેનન્સ

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે રોપ વે મેઇન્ટેનન્સના કામ માટે પાંચ  દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો.  જે 14 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું રોપ વે સેવા બંધ હતી પરંતુ ભાવિકોએ  પગપાળા જઈને  ગબ્બર દર્શન તેમજ અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. નોંધનીય છે  કે ગબ્બર ઉપર જવાના 999 પગથિયા છે જ્યારે ઉતરવા માટેના  765 પગથિયાં છે.

 

 

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">