AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal : પાવાગઢમાં આજે બીજા દિવસે પણ રોપ વે સેવા બંધ

Panchmahal : પાવાગઢમાં આજે બીજા દિવસે પણ રોપ વે સેવા બંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 12:27 PM
Share

સતત બે દિવસથી ગુજરાતમાં ભારે પવનને કારણે જૂનાગઢ, અંબાજી, પાવાગઢમાં રોપ વે સેવા યાત્રિકોની સુરક્ષા માટે બંધ રાખવામાં આવી છે. જેના કારણે આ સ્થળોએ ફરવા જતા પ્રવાસીઓ રોપ વેનો આનંદ લઈ શક્યા નહોતા.

પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં  ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેને પરિણામે આજે સતત બીજા દિવસે પમ રોપ વે બંધ રાખવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવન રહેતા રોપ વે સંચાલકોએ નિર્ણય  લીધો હતો કે પાવાગઢમાં રોપ વે સેવા બંધ  રાખવામાં આવે.  ગઇ કાલથી નીકળેલા ભારે પવનને કારણે રોપ વે ચલાવવો તે સંચાલકોને  યોગ્ય લાગ્યું નહોતું.  ગઈકાલે પવનના કારણે રોપ-વે સેવા કેટલાંક સમય સુધી બંધ રહેતા યાત્રિકો હેરાન થયા હતા. જોકે  રોપ વે સંચાલકોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા માટે બારે પવનમાં રોપ વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ ઓછી થશે  એટલે રોપ વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.

સતત બે દિવસથી  ગુજરાતમાં ભારે પવનને કારણે  જૂનાગઢ, અંબાજી, પાવાગઢમાં રોપ વે સેવા યાત્રિકોની સુરક્ષાને કારણે બંધ રાખવામાં આવી છે. જેના કારણે આ સ્થળોએ ફરવા જતા પ્રવાસીઓ  રોપ વેનો આનંદ લઈ શક્યા નહોતા.

ગત રોજ ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ બંધ પડી

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તીવ્ર જોવા મળી હતી. જેને કારણે ગત રોજ ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ પડી હતી. ઉડન ખટોલાના સંલગ્ન અધિકારીઓેને જણાવ્યું હતું કે પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ભારે પવન બંધ થતા રોપ વે ફરીથી શરૂ કરવામાં આવશે.

તો દ્વારકામાં પણ  ફેરી બોટ સેવા ભારે પવનને  કારણે બંધ  કરવામાં આવી હતી.  આથી દ્વારકાથી બેટ દ્વારકા જનારા  પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.

g clip-path="url(#clip0_868_265)">