AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી સંપૂર્ણ બંધ, નિકાસબંધી અંગે નોટિફિકેશન ન આવવાથી અસમંજસ

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી સંપૂર્ણ બંધ, નિકાસબંધી અંગે નોટિફિકેશન ન આવવાથી અસમંજસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 7:15 PM
Share

સરકારની નિકાસબંધી હટાવવાની જાહેરાત બાદ ડુંગળીના ભાવમાં પ્રતિમણ 100થી 200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ ખેડૂતોની આ ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. તેની પાછળનું કારણ એ છે કે સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કર્યું.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની હરાજી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. સરકાર દ્વારા નિકાસબંધીની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કરતા ખેડૂત અને વેપારીઓ અસમંજસમાં મુકાયા છે. જેને લઈ ભાવનગર, તળાજા તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ માટે ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે.

સરકારની નિકાસબંધી હટાવવાની જાહેરાત બાદ ડુંગળીના ભાવમાં પ્રતિમણ 100થી 200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ ખેડૂતોની આ ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. તેની પાછળનું કારણ એ છે કે સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કર્યું. ત્યારે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનું હબ ભાવનગરને ગણવામા આવે છે, પરંતુ બે ધારી નીતિના કારણે ફરી એકવાર ખેડૂતોની મુશ્કેલી વધી છે.

આ પણ વાંચો ભાવનગર: નિકાસની છૂટ મળતા યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો, ખેડૂતોના ભાગે નર્યો નિ:સાસો, શક્તિસિંહે ગણાવી ચૂંટણીલક્ષી લોલિપોપ- વીડિયો

g clip-path="url(#clip0_868_265)">