Gujarati Video : જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને ટૂંક જ સમયમાં મુકાશે ખુલ્લો, મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ થાય તેવી સંભાવના

જૂનાગઢવાસીઓને ટૂંક સમયમાં જ નવુ નજરાણુ મળે તેવી સંભાવના છે. જુનાગઢના ઉપરકોટ કિલ્લાને ટૂંક જ સમયમાં ખુલ્લું મુકવામાં આવશે. આ પહેલા પ્રવાસન વિભાગના એમડી સૌરભ પારધીએ સ્થળની મુલાકાત લીધી હતી. અને જિલ્લા વહિવટી તંત્ર પાસેથી તૈયારીઓ અંગેની માહિતી પણ મેળવી હતી.સૌરભ પારધીએ ઉપરકોટમાં થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 7:26 AM

Junagadh  News : જૂનાગઢવાસીઓને ટૂંક સમયમાં જ નવુ નજરાણુ મળે તેવી સંભાવના છે. જુનાગઢના ઉપરકોટ કિલ્લાને ટૂંક જ સમયમાં ખુલ્લું મુકવામાં આવશે. આ પહેલા પ્રવાસન વિભાગના એમડી સૌરભ પારધીએ સ્થળની મુલાકાત લીધી હતી. અને જિલ્લા વહિવટી તંત્ર પાસેથી તૈયારીઓ અંગેની માહિતી પણ મેળવી હતી.

આ પણ વાંચો : Junagadh News : ઈન્દ્રભારતી બાપુ સામે ટિપ્પણી કરવાનો મુદ્દો, હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર, જુઓ Video

સૌરભ પારધીએ ઉપરકોટમાં થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. એવી માહિતી છે કે, મુખ્યપ્રધાનના હસ્તે જ ઉપર કોટ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. અને તે માટે ટૂંક સમયમાં જાહેરાત પણ થઇ શકે છે.

તો બીજી તરફ આ અગાઉ રાજકોટમાં હિરાસરનું ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યુ છે. જે 10 સપ્ટેમ્બરથી કાર્યરત થયુ છે. એરપોર્ટ પહોંચવા માટે મુસાફરો માટે એસી ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહે રાજકોટ બસપોર્ટ પરથી બસોને લીલીઝંડી આપી બસ સેવાની શરૂઆત કરાવી હતી.

 જૂનાગઢ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us: