AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો આકરો વિરોધ- Video

જામનગરમાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધારો કરવા અનોખો વિરોધ નોંધાવ્યો છે. હાલના 70 મણના બદલે ખેડૂત દીઠ 300 મણ મગફળી ખરીદવાની માંગ સાથે બળદગાડા સાથે રેલી કાઢી ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2025 | 9:06 PM
Share

જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ બળદ ગાડા પર બેસીને મગફળીના છોડ સાથે રાખીને સૂત્રોચ્ચાર સાથે અનોખો વિરોધ નોંધાવ્યો. બળદગાડા સાથે ખેડૂતો અને કિસાન કોંગ્રેસના નેતાઓ જિલ્લા પંચાયત પહોંચ્યા હતા જ્યાં ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

ખેડૂતોની માગણી છે કે ખેડૂત દીઠ 70 મણ મગફળીના બદલે ખેડૂત દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે. ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં ખેડૂત દીઠ ખરીદીનો જથ્થો નહીં વધારવામાં આવે તો અનેક ખેડૂતો વંચિત રહેશે.

ખેડૂતોની એવી પણ ફરિયાદ છે કે પહેલા 1660 રૂપિયા મગફળીના ભાવ બોલાયા હતા આથી હજારો ખેડૂતો તેમની મગફળી લઈને વેચવા માટે આવ્યા. જેમા માત્ર એક ખેડૂતને 1660 રૂપિયાનો ભાવ મળ્યો અન્ય ખેડૂતોને 960 રૂપિયે મગફળીના આપવામાં આવ્યા. આ તરફ હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ અન્ય યાર્ડની સરખામણીએ જામનગર યાર્ડમાં ખેેડૂતોને સારા ભાવ આપવામાં આવી રહ્યા છે અને ટેકાના ભાવ અને હરાજીના ભાવની સરખામણી થઈ શકે નહીં, ખેડૂતોનો માલ અને બજારમાં પુરવઠાની આવક અને માગને આધારે ભાવ નક્કી થતા હોય છે.

શું હવે ભારતમાં પણ મૃત્યુ દંડની સજા પામેલા કેદીને ફાંસીના બદલે ઘાતક ઈંજેક્શનથી મોત અપાશે? સુપ્રીમ કોર્ટમાં શું થઈ દલીલો?- વાંચો

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">