જૂનાગઢમાં ફરી તંત્રનું મેગા ડિમોલિશન ! 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ, જુઓ Video
અમદાવાદમાં ચંડોળા તળાવના મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ જૂનાગઢમાં ફરી તંત્ર દ્વારા પણ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન 350થી વધુ પોલીસે સ્ટાફ તૈનાત કરાયો છે. 60થી વધુ તંત્રનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
અમદાવાદમાં ચંડોળા તળાવના મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ જૂનાગઢમાં ફરી તંત્ર દ્વારા પણ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન 350થી વધુ પોલીસે સ્ટાફ તૈનાત કરાયો છે. 60થી વધુ તંત્રનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
અગાઉ તમામ લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. કેટલાક અસામાજિક તત્વોના પણ ગેરકાયદે બાંધકામો હટાવાશે. 10 JCB સહિતની મશીનરીનો ઉપયોગમાં લઈ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં મેગા ડિમોલિશન
આ તમામ મિલકતો પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું તંત્રની તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ લોકોને નોટિસ અપાઈ હતી. પરંતુ નોટિસની સૂચના પ્રમાણે લોકોએ સ્વેચ્છાએ દબાણ ન હટાવતા ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા છે. આખરે તંત્રએ બુલડોઝરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે કેટલાક અસામાજિક તત્વોના પણ ગેરકાયદે બાંધકામો તોડવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ

રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video

માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
