AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ભાવનગરમાં રાસગરબા ગ્રૂપના સંચાલકનો આપઘાત, તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી

Gujarati Video : ભાવનગરમાં રાસગરબા ગ્રૂપના સંચાલકનો આપઘાત, તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 1:21 PM
Share

કર્ણવ વસોયા નામના યુવકે પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ છે. પોલીસને તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવી છે.

Bhavnagar : ભાવનગરમાં રાસગરબા ગ્રૂપના સંચાલકે આપઘાત (Suicide) કરી લીધો છે. કર્ણવ વસોયા નામના યુવકે પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ છે. પોલીસને તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે ખરાબ દિવસો ચાલી રહ્યા હોવાના કારણે આ પગલું ભર્યું છે. મૃતક કર્ણવ વસોયા રંગરસિયા નામે રાસગરબાનું ગ્રૂપ ચલાવતો હતો. તે ભાજપ યુવા મોરચાનો કાર્યકર પણ હતો.

આ પણ વાંચો-Gujarati Video : બનાસકાંઠાના અમીરગઢના જૈન મંદિરમાં ભગવાનના ઘરેણાની ચોરી, જુઓ CCTVમા ઘટના

ગઇકાલે બનાસકાંઠાના કાંકરેજના રાજપુર ગામે ઘરકંકાસમાં પરિણીતાએ આપઘાત કરતા ચકચાર મચી છે. પતિ અને દિયર માર મારતા હોવાથી અને માનસિક ત્રાસ આપતા હોવાથી ધારા ગોસ્વામી નામની પરિણીતાએ ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. દીકરીના કમોતના સમાચાર સાંભળી પરિવાર ભાંગી પડ્યો છે. હાલ તો સમગ્ર મામલે પરિણીતાની માતાએ જમાઇ સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થરા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવનગર  શહેર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">