Gujarati Video: વરસાદ ખેંચાતા કફોડી સ્થિતિમાં મુકાયા ધોરાજીના ખેડૂતો, તાત્કાલિક ભાદર ડેમનુ પાણી છોડવા કરી માગ, કેનાલમાં ઉભા રહી કર્યા સૂત્રોચ્ચાર

Rajkot: છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. વેગડી ગામના ખેડૂતોએ પાણી છોડવા માટે કેનાલમાં ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક ભાદર઼-1 ડેમનું પાણી છોડવા માગ કરી. કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવા ખેડૂતો માગ કરી રહ્યા છે. સિંચાઈનું પાણી નહીં મળે તો કપાસ, મગફળી, સોયાબીન અને એરંડાનો પાક સૂકાવાની ભીતિ સેવાઈ રહી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 10:49 PM

Rajkot: ધોરાજી પંથકની આ સ્થિતિ છે. જોકે રાજ્યભરમાં આ જ હાલત છે કેમકે વરસાદે ઓગસ્ટ મહિનામાં સાવ ગાયબ જ થઈ ગયો છે. આ પહેલાં જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ધોરાજી પંથકમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને પાકને સારુ એવું નુકસાન થયું હતું. ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જવા વિવિધ પાકોને ભારે વરસાદને કારણે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ એમનો મહામૂલો પાક મહામુસીબતે મહેનત કરી અને બચાવ્યો પણ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતોને પાણી વિના પાક બળી જવાની ભીતિ સતાવી રહી છે.

વેગડી ગામના ખેડૂતોએ કેનાલમાં ઉભા રહી કર્યા સૂત્રોચ્ચાર

ધોરાજીના વેગડી ગામના ખેડૂતોએ પાણી માટે કેનાલમાં ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક ભાદર- 1 ડેમનુ પાણી છોડવાની માગ કરી. ખેડૂતો કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવાની માગ કરી રહ્યા છે.  એક તરફ ધોરાજી પંથકમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ પાકને પિયત માટેની ખાસ જરૂર છે. ખેડૂતોનું કહેવું છે કે જે ખેડૂતોને ખેતરમાં કુવા બોર છે એમને તો પિયત થઈ શકે એમ છે પરંતુ વીજ ધાંધિયાને કારણે ખેડૂતો સમયસર પિયત આપી શકતા નથી. તેમને 10 કલાકની જગ્યા એ માત્ર 8 કલાક વીજ પુરવઠો મળે છે. સરકારે હાલમાં જ 10 કલાક વીજળી આપવાની જાહેરાત તો કરી છે પરંતુ ઓછા વોલ્ટેજને કારણે ખેડૂતો યોગ્ય રીતે પિયત કરી શકતા નથી. આ જોતાં ખેડૂતોનું કહેવું છે કે ભાદર ડેમમાંથી તેમને કેનાલ મારફત પાણી સરકારે આપવું જોઈએ.

આ પણ વાંચો :  સાંસદ મનસુખ વસાવાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ, 6 મહિના પહેલા બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન નથી કરાતું, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">