AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: G-20ની અમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખાતા ગરમાઇ રાજનીતિ, ઈન્ડિયા કે ભારત નામ પર શું છે રાજકોટવાસીઓનો મત- વાંચો

Rajkot: 2024ની લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે દેશમાં એક નવા જ મુદ્દે વિવાદ શરૂ થયો છે. આ વિવાદ છે India કે ભારત! તેનુ કારણ છે G-20ના આમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને મોદી સરકાર પર ઈતિહાસ બદલવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ અંગે રાજકોટવાસીઓનો શું મત છે, ભારત દેશ ભારત તરીકે જ ઓળખાવો જોઈએ કે ઈન્ડિયા તરીકે ઓળખાવો જોઈએ તે અંગે વાંચો તેમના અભિપ્રાય અહીં.

Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:34 PM
Share

Rajkot: ભારત આ વર્ષે જ્યારે G-20ની યજમાની કરી રહ્યુ છે અને 8થી 10 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં G-20 સમિટ યોજાવા જઈ રહી છે. ત્યારે આ G-20 સમિટની આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખાતા રાજનીતિ ગરમાઈ છે અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દે tv9 દ્વારા વિવિધ શહેરોમાંથી યુવાનોનો મત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ભારત દેશ ભારત તરીકે ઓળખાવો જોઈએ કે INDIA તરીકે. જેના પર રાજકોટના યુવાનોએ તેમનો મત વ્યક્ત કર્યો.

બ્રિટીશ રાજમાંથી સ્વતંત્ર જાહેર થયા બાદ અપાયુ ‘ઈન્ડિયા’ નામ

રાજકોટના યુવાન જય શાહે જણાવ્યુ કે આપણા માટે ગૌરવની બાબત છે કે 20 દેશોની યોજાનારી સમિટ આ વર્ષે ભારતમાં થઈ રહી છે અને ભારત તેની યજમાની કરી રહ્યુ છે. ભારત અને ઈન્ડિયા બંને વચ્ચેનો તફાવત ગુલામીનો કાલખંડ અને સુવર્ણકાળનો છે. જ્યારે આપણા દેશ માટે ભારત વર્ષ એટલે સોને કી ચિડીયા કહેવામાં આવતુ હતુ. તેઓ વધુમાં જણાવે છે કે ઈન્ડિયાને અર્થ આપણે જાણતા નથી એટલે આપણને ઈન્ડિયા બોલવુ ગમે છે. બ્રિટિશરાજમાંથી જ્યારે ભારત આઝાદ થયુ ત્યારે Independent Nation Declared in August એવો અર્થ ઈન્ડિયાનો કરવામાં આવ્યો. મતલબ ઓગષ્ટ મહિનામાં જે રાષ્ટ્રને આઝાદ કરવામાં આવ્યુ હોય તે ઈન્ડિયા.

ભારત શબ્દ પાછળ ભારતના ભવ્ય વારસો અને સંસ્કૃતિના દર્શન

વધુમાં જય શાહ જણાવે છે કે  આપણા ઈતિહાસમાં ડોકિયુ કરશું તો ભારત નામ મહાભારત પરથી આવ્યુ છે. મહાભારત વિશ્વનું સૌથી મોટી મહાકાવ્ય છે જેમાં 1 લાખથી પણ વધારે શ્લોકો છે. એ મહાકાવ્યમાં પણ આપણા દેશનો ઉલ્લેખ ભારતવર્ષ ભારત ભૂમિના ભાગ તરીકે કરવામાં આવ્યો છે. તેઓ જણાવે છે ઈન્ડિયા કરતા આપણો દેશ ભારત તરીકે જ ઓળખાવો જોઈએ અને તે ગૌરવની બાબત પણ છે. આપણો ભવ્ય વારસો ક્યાંકને ક્યાંક ઈન્ડિયા નામ નીચે દબાઈ રહી છે. એ ગ્લોરીને પરત લાવવા માટેનું કામ પણ ભારત નામથી થશે. દેશ માટે બ્રિટીશ રાજે આપેલો ઈન્ડિયા શબ્દ હજુ પણ ગુલામી માનસિક્તાનું પ્રતિક છે. આથી તેને પણ બદલવાની જરૂર છે. હાલ પીએમ મોદીના નેતૃત્વમાં આપણો દેશ ભારત સમગ્ર વિશ્વ માટે એક પથદર્શકની ભૂમિકામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વની નજરો ભારત તરફ મંડાયેલી છે. ત્યારે ભારતીય સંસ્કૃતિના દર્શન ભારત નામથી થાય છે.

આ પણ વાંચો: Asia Cup 2023: ટીમ ઈન્ડિયા આ મેદાન પર પાકિસ્તાનનો સામનો કરશે, જાણો ક્યાં થશે ફાઈનલ?

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">