Gujarati video: Ambaji મંદિરના આરતીના સમયમાં થયો ફેરફાર, જાણો ક્યા સમયે થશે માતાજીના દર્શન

હાલની કાળઝાળ ગરમીમાં માતાજી વાઘા અને અને શણગાર ત્રણવાર બદલવામાં આવશે. જેથી આરતી પણ ત્રણવાર કરવામાં આવશે.. દર્શન અને આરતીમાં થયેલા ફેરફારની વાત કરીએ તો મંદિર સવારે 11.30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10.45 કલાકે બંધ થશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 10:29 PM

યાત્રાધામ અંબાજી ખાતે નીજ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં તારીખ 22 એપ્રિલ શનિવાર, વૈશાખ સુદ અને અખાત્રીજથી સવાર અને સાંજ બે સમયે થતી આરતી ઉપરાંત બપોરે પણ આરતી થશે.

માતાજીના વાઘા 3 વાર બદલવામાં આવશે

હાલની કાળઝાળ ગરમીમાં માતાજી વાઘા અને અને શણગાર ત્રણવાર બદલવામાં આવશે. જેથી આરતી પણ ત્રણવાર કરવામાં આવશે.. દર્શન અને આરતીમાં થયેલા ફેરફારની વાત કરીએ તો મંદિર સવારે 11.30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10.45 કલાકે બંધ થશે.

આરતી અને દર્શનનો સમય રહેશે આ પ્રમાણે

  • સવારની આરતી 7.00થી 7.30
  • સવારના દર્શન 7.30થી 10.45
  • બપોરની આરતી 12.30થી 1.00
  • બપોરના દર્શન 1.00થી 4.30
  • સાંજની આરતી 7.00થી 7.30 સુધી
  • સાંજના દર્શન 7.30થી રાત્રીના 9.00 સુધી

આ પણ વાંચો: Gujarati Video: Ambaji શક્તિપીઠના પરિસરમાં કાચના બ્રિજનું નજરાણું બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ Video

સાંજે માતાજીના પ્રૌઢાવસ્થાના દર્શન થશે

ભક્તો સવારે માતાજીના બાલ્યાવસ્થા, બપોરે યૌવનાવસ્થા અને સાંજે પૌઢ અવસ્થામાં દર્શન કરી શકશે.. મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 22 એપ્રિલથી 19 જૂન સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહીં.

 અંબાજીમાં 75 ફૂટ લાંબા અને 8 ફૂટ પહોળો કાચના બ્રિજનું આકર્ષણ

વિશ્વપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે મા અંબાના દર્શને આવતા માઇભક્તો માટે નવા નજરાણા તરીકે કાચના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં દેવેશ ગ્રુપ તરફથી 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળા કાચના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ પર યાત્રિકો ચાલી પણ શકે છે અને બ્રિજની આજુબાજુમાં ઉભી કરાયેલા 51 શક્તિપીઠના દર્શન પણ કરી શકે છે. આ બ્રિજ પર એક સાથે 10 વ્યક્તિઓ ચાલી શકે તેવી તેની ક્ષમતા છે તો પ્રતિવ્યક્તિ 10 રૂપિયાની ટિકિટ પણ રાખવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ કાચ પર ચાલવાનો અદ્દભૂત અનુભવ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
g clip-path="url(#clip0_868_265)">