સરકારે જે તબીબોને કોરોના વોરિયર્સનું નામ આપ્યું છે તે જ તબીબોના હક સરકાર છીનવી રહી છે : અમિત ચાવડા

સરકારે જે તબીબોને કોરોના વોરિયર્સનું નામ આપ્યું છે તે જ તબીબોના હક સરકાર છીનવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે રેસિડેન્ટ તબીબોના વિરોધ બાદ રાજ્ય સરકારે અલ્ટિમેટમ આપીને સ્ટાઇપેઇન્ડ ન ચૂકવવાનો આદેશ કર્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 5:41 PM

ગુજરાત(Gujarat)કોંગ્રેસ(Congress)પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda)એ જણાવ્યું છે કે સરકારે જે તબીબોને કોરોના વોરિયર્સનું નામ આપ્યું છે તે જ તબીબોના હક સરકાર છીનવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે રેસિડેન્ટ તબીબોના વિરોધ બાદ રાજ્ય સરકારે અલ્ટિમેટમ આપીને સ્ટાઇપેઇન્ડ ન ચૂકવવાનો આદેશ કર્યો છે.ત્યારે આ કાર્યવાહીને કોંગ્રેસે ખોટી ઠેરવી છે અને રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારી તેમની સાથે ન્યાય કરવાની માંગ કરી છે.તેમણે કહ્યું છે જે સરકાર કોરોના સમયે તેમની પર પુષ્પવર્ષા કરતી હતી તે જ ડોકટરો સાથે સરકાર આજે અન્યાય કરી રહી છે.

આ પણ વાંચો : Photo : જાણો મહાભારતમાં વર્ણિત અર્જુનના વિવિધ નામ પાછળનું રહસ્ય

આ પણ વાંચો : RAJKOT : વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનો લોકદરબાર, 83 જેટલા પીડિતોની રડતી આંખે રજૂઆત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">