Gujarat Assembly Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ નેતા કૈલાશ ગઢવી સમર્થકો સાથે AAPમાં જોડાયા

TV9 સાથેની વાતચીતમાં કૈલાશ ગઢવી (Kailash Gadhvi) કહ્યું કે ઉપરના નેતાઓને કોઈ ફરક પડતો નથી. નીચેના કાર્યકરોની મહેનત એળે જતાં સરકારો બનતી નથી.

Gujarat Assembly Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ નેતા કૈલાશ ગઢવી સમર્થકો સાથે AAPમાં જોડાયા
Kailash gadhvi Joins Aap (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 12:20 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા કોંગ્રેસ (Congress)ને વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના વધુ એક નેતા આપ સાથે જોડાયા છે. કૈલાશ ગઢવી તેમના સમર્થકો સાથે AAPમાં જોડાયા છે. કૈલાસ ગઢવીએ ઈસુદાન ગઢવી અને ગુલાબસિંહની હાજરીમાં AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ પહેલા કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને કોંગ્રેસ સંગઠન (organization)ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જવાના સંકેત આપ્યા હતા.

કૈલાસ ગઢવી ઘણા સમયથી કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ હતા. TV9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઉપરના નેતાઓને કોઈ ફરક પડતો નથી. નીચેના કાર્યકરોની મહેનત એળે જતાં સરકારો બનતી નથી. ચૂંટણી જીતવાની આગ કાર્યકરોમાં છે પણ તે નેતાઓ સુધી પહોંચતી નથી. પાંચ-પાંચ વર્ષ મહેનત બાદ છેલ્લી ઘડીએ મહેનત પર પાણી ફરી વળે છે.

આપના ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ ગુલાબસિંહ યાદવ અને ઈસુદાન ગઢવીએ હાર અને ટોપી પહેરાવી કૈલાશ ગઢવીને પક્ષમાં આવકાર્યા. કૈલાશ ગઢવીએ AAPમાં જોડાયા બાદ કહ્યું કે, છેવાડાના માનવીની ભલાઈ માટે પરિવર્તન કર્યું છે. જો કે પરિવર્તનનો નિર્ણય કરવો અત્યંત કઠીન હતો. કૈલાશ ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા કરતા વધારે વર્ષથી અહંકારી સરકાર છે. જે શિક્ષણ, આરોગ્ય સહિતની સારી સુવિધા ઉભી કરવામાં નિષ્ફળ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો સાથે મળીને આગામી દિવસોમાં શ્રેષ્ઠ ગુજરાતનું સર્જન કરવાનો કૈલાશ ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021માં કોંગ્રેસ પ્રવકતા અને નેતા કૈલાશ ગઢવીએ પક્ષમાં ઈમાનદાર લોકોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધર્યું હતું. તેમણે તે સમયે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ટિકિટ આપવામાં આવે છે. જ્યારે પક્ષને વફાદાર લોકોને ટિકિટ અપાતી નથી. કૈલાશ ગઢવી ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ હતા. જોકે તે સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી હોવાથી કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવતાં તેમણે રાજીનામું પાછું ખેચી લીધું હતું. જો કે અંતે તેમણે કોંગ્રેસને અલવિદા કહેવાનું મન બનાવી લીધુ અને આપનો સાથ આપવાનું નક્કી કર્યુ છે.

આ પણ વાંચો-Surat: VNSGUમાં પેપર લીક કેસમાં તપાસ કમિટીએ વધુ 8 વ્યક્તિના નિવેદન નોંધ્યા, આવતીકાલે રિપોર્ટ સુપ્રત કરાશે

આ પણ વાંચો-Jamnagar: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ શરુ, ભાજપે શરુ કરેલા પ્રચાર સામે કોંગ્રેસનો વિરોધનો પ્રહાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">