Ahmedabad : પરશુરામ જયંતિ અને ઈદના તહેવારને પગલે અમદાવાદ પોલીસ હાઈ એલર્ટ પર
આજ રોજ પરશુરામ જયંતિ અને ઇદનો તહેવાર એક જ દિવસે છે ત્યારે ઉજવણીમાં કોઈ અણબનાવ કે અપ્રિય ઘટના ના બને અને સૌહાર્દપૂર્વક વાતાવરણ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે, ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.
આજ રોજ પરશુરામ જયંતિ અને ઇદનો તહેવાર એક જ દિવસે છે ત્યારે ઉજવણીમાં કોઈ અણબનાવ ના બને અથવા તો અસમાજિક તત્વો દ્વારા કોઈ ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં ના આવે તેને માટે પોલીસ સતર્ક બની છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા ધાર્મિક સ્થળોની સાફસફાઈ અભિયાન હાથ ધરવાનો પણ કાર્યક્રમ આયોજીત કર્યો છ. આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ પોલીસ પણ સતર્ક બની છે. અગાઉ રામનવમીને લઈ રાજ્યના કેટલાક સ્થળોએ હિંસક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ફરી આવી કોઈ અપ્રિય ઘટના ના બને તેને માટે ઇદ અને પરશુરામ જયંતિની ઉજવણી સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
આ પણ વાંચો : ઇદ મુબારક, આજે ચાંદ દેખાતા આવતીકાલે ઉત્સાહ પૂર્વક થશે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી, ચાંદ કમિટીએ કરી જાહેરાત
DCP, ACP કક્ષાના અધિકારીઓને સોંપાયો બંદોબસ્ત
પોલીસ દ્વારા અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મંદિરો અને મસ્જિદ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર દિવસ દરમ્યાન રખાશે. આ બંદોબસ્તમાં 9 DCP,16 ACP સહિત 5 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. એટલું જ નહીં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ઉપરાંત અન્ય 3 SRPF કંપનીની પણ ફાળવણી કરવામાં આવી છે. બીજી તરફ શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તહેવાર પગેલનાજ દિવસોમાં દરેક વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને રાજ્યમાં સુલેહ ભંગ નહીં થાય તે માટે અગ્રણીઓએ કાળજી રાખવા અપીલ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…