દ્વારકાના ખેડૂતોએ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video

દ્વારકાના ખેડૂતોએ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. પાક નુકસાનીની સહાય તેમજ વરસાદથી થયેલી જમીનના ધોવાણનું વળતર ચુકવવા સહિતની 6 માગો મુદ્દે સરકાર સામે લડતના મંડાણ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2024 | 6:13 PM

દેવભૂમિ દ્વારકાના ખેડૂતોએ સહાય મુદ્દે મોરચો માંડ્યો છે. દ્વારકા જિલ્લામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદના કારણે ખેતી પાકમાં વ્યાપક નુક્સાન થયું છે. ત્યારે ખેડૂતોની માગણી છે કે જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે. ખેડૂતોએ પોતાની છ માગણીઓ હોર્ડિગ્સ પર લખીને હોર્ડિગ્સનું અનાવરણ કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

ખેડૂતોની 6 માગણીઓ છે જેમાં દ્વારકા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, વર્તુ, સોરઠ અને સાની નદી નજીક આવેલા ખેતરો દર વર્ષે પૂરની પાણીમાં ધોવાઈ છે. તેના કાયમી ઉકેલની માગણી, ચાલુ વર્ષે વરસાદથી થયેલા જમીન ધોવાણનું વળતર ચુકવવાની માગણી, દર ચોમાસામાં રાવલ ગામ પાણીથી બેટમાં ફેરવાય છે. તેનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. દ્વારકા જિલ્લાના ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે. દ્વારકામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો તેના વળતરની પણ માગ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">