AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંડોળા તળાવ : ગેરકાયદે મકાનો બાદ હવે ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું - જુઓ Video

ચંડોળા તળાવ : ગેરકાયદે મકાનો બાદ હવે ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2025 | 8:02 PM

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ફેઝ-2 ડિમોલિશન અંતર્ગત બીજા દિવસે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી ચાલુ રહી હતી. બીજા દિવસે તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ફેઝ-2 ડિમોલિશન અંતર્ગત બીજા દિવસે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી ચાલુ રહી હતી. બીજા દિવસે તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 24 ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

ગઈકાલે મ્યુનિસિપલ તંત્રે 35 જેટલા હીટાચી મશીન અને 15 જેટલા JCB મશીનની મદદથી 8500 જેટલાં નાના-મોટા, કાચા-પાકા મકાનો એક જ દિવસમાં તોડી પાડ્યા હતા.

આ સિવાય આગામી દિવસોમાં કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી થઇ રહી છે. જણાવી દઈએ કે, વહેલી સવારથી જ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">