World Tribal Day : ગુજરાતમાં તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના સ્થળે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, જાણો શું છે તેનું મહત્વ

આદિવાસી સમાજના સન્માનમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 9 ઓગસ્ટને વર્ષ 1993માં યુનાઈટેડ નેશન્સે (UN) વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. વર્ષ 1994ના ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમ વખત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવવાની જાહેરાત કરી હતી.

World Tribal Day : ગુજરાતમાં તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના સ્થળે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, જાણો શું છે તેનું મહત્વ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 12:47 PM

World Tribal Day : 9 ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ શહેરોમાં વિશ્વ આદિવાસી દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. તાપીમાં વિશ્વ આદિવાસી દિવસનો રાજ્યવ્યાપી કાર્યક્રમ રાખી ઉજવણી કરવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Surat Protest Video : પૂરતી BRTS બસો ન હોવાથી વિદ્યાર્થીઓ અને ABVPનું આક્રમક વિરોધ પ્રદર્શન, મેયર તાત્કાલિક દોડી આવ્યા

તાપીમાં રાજ્યકક્ષાની ઉજવણી

તાપીમાં વિશ્વ આદિવાસી દિવસનો રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. અહીં વિવિધ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિવિધ આદિવાસી સમાજની કૃતિઓ આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સાથે જ સરકારની વિવિધ આદિવાસી કલ્યાણકારી યોજનાઓની ડોક્યુમેન્ટરી પ્રદર્શની સાથે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ની ફિલ્મ ડોક્યુમેન્ટરીનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ. સાથે જ કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

નવસારીમાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ

નવસારી શહેરમાં આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવસારી નગરપાલિકા દ્વારા શહેરના કાલિયાવાડી વિસ્તારમાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. સાથે જ કાલિયા વાડીથી દશેરા ટેકરી સુધીના માર્ગને બિરસા મુંડા માર્ગ નામ આપવામાં આવ્યું. તો મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને નગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજરી આપી હતી.

આદિવાસી લોકોને રાહત કિટનું વિતરણ

તો બનાસકાંઠાના દાંતા તાલુકા મથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કાર્યક્રમ શરૂ થયો હતો. જે પછી આદિવાસી લોકોને રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. દાંતા અને અમીરગઢ તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

કેમ થાય છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ?

આદિવાસી સમાજના સન્માનમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 9 ઓગસ્ટને વર્ષ 1993માં યુનાઈટેડ નેશન્સે (UN) વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. વર્ષ 1994ના ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમ વખત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવવાની જાહેરાત કરી હતી. આદિવાસીઓના અધિકારોનું જતન-રક્ષણ કરવાના હેતુથી આ જાહેરાત કરવામાં આવી હતી. જળ, જંગલ અને જમીન આ ત્રણ બાબતોને પ્રોત્સાહન આપવા આ ઉજવણી કરવામાં આવે છે. તો સાથે જ આદિવાસી સમાજના લોકોને સામાજિક, આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં સશક્ત બનાવવાના હેતુથી પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

મહત્વનું છે કે આદિવાસી દિવસે બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવનારા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસામુંડાએ યાદ કરવામાં આવે છે. તેઓ કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે અંગ્રેજોની સામે પડ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">