Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ, નવા ચહેરાઓને મળશે તક, જુઓ Video

ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 28, 2024 | 2:48 PM

ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

હાલમાં ચૂંટણીની અંદર પણ જુદા જુદા મંત્રીઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેટલા પણ પ્રભારી મંત્રી છે, તે તમામને પ્રચાર, કેમ્પેઇનથી લઇને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે.તેની સાથે જ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે જ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે લોકસભા ચૂંટણી પછી ગુજરાતના રાજ્ય સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થઇ શકે છે. મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર આવી શકે છે.

માહિતી પ્રમાણે અત્યારે જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને ડ્રોપ કરવામાં આવી શકે છે, તો કેટલાક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ નવા ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાનું નામ સામે આવી રહ્યુ છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પેટા ચૂંટણી લડી રહ્યા છે. જો તે જીતશે તો તેમને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે. તેની સાથે જ સી જે ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. તેમને પણ કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ કે ચૂંટણી જીત્યા બાદ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો-Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો, 1 એપ્રિલથી વાહનચાલકોએ ચૂકવવા પડશે વધુ નાણા, જુઓ Video

જો કે ભૂતકાળમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ પ્રકારનું કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ, જો કે હજુ સુધી તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી.જો કે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા બંને સિનિયર નેતાઓ છે. તેથી જો તેઓ જીતશે તો તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">