ભરૂચ : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 227 કરોડના ખર્ચે વિકાસ પામનાર ૩૩ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું, જુઓ વીડિયો
ભરૂચ : . ભરૂચમાં ભોલાવ બસ પોર્ટ, અંકલેશ્વર પોલીસ આવાસ, નવનિર્મિત માર્ગ અને ગટર સહિત યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું હતું. આ અવસરે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી કે સ્વામી, રિતેશ વસાવા અને ઈશ્વર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 227 કરોડના ખર્ચે વિકાસ પામનાર ૩૩ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું હતું. સરકાર દ્વારા વિકાસકાર્યો થકી શહેરની સૂરત બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભરૂચમાં ભોલાવ બસ પોર્ટ, અંકલેશ્વર પોલીસ આવાસ, નવનિર્મિત માર્ગ અને ગટર સહિત યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું હતું. આ અવસરે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી કે સ્વામી, રિતેશ વસાવા અને ઈશ્વર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચને રૂપિયા 227 કરોડના 33 પ્રકલ્પોના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતના વિકાસને નવી ગતિ મળી છે. વાયબ્રન્ટ ગુજરાત થકી આજે દુનિયાની દિગ્ગ્જ 500 કંપનીઓ પૈકી 100 ગુજરાતમાં રોકાણ કરવા ઈચ્છા શક્તિ ધરાવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હકારાત્મક કાર્યશૈલી અને પ્રજાહિતના કાર્યોથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ પર નાગરિકોનો વિશ્વાસ વધ્યો છે. આ અવસરે મુખ્યમંત્રીએ ભરૂચમાં રૂપિયા સારા ચાર કરોડના ખર્ચે નવનિર્મિત ભોલાવ ડેપોનું લોકાર્પણ કરી ડેપોમાં ઉભી કરવામાં આવેલી જનસુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.