Valsad News : વાપીમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ, મોટી દુર્ઘટના થતા ટળી, જુઓ Video

વલસાડના વાપીમાં ફરી એક વાર રેલવેના ટ્રેક પર સિમેન્ટનો પોલ મુક્યો હોવાની ઘટના બની હતી. રેલવે ટ્રેક પર પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2024 | 1:38 PM

વલસાડમાં ફરી એક વાર ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ થયો હતો. વલસાડના વાપીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ સિમેન્ટનો પોલ મુકી દીધો હતો.ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે રેલવે વિભાગે સિમેન્ટના પોલને હટાવાયો હતો. જો સમયસર આ પોલ હટાવાયો ન હોત તો અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રેલવેના DRM કરશે તપાસ

આ ઘટના કોઈ પહેલી વાર નથી બની. આ અગાઉ પણ આ પ્રકારના પ્રયત્નો થયેલા છે. વલસાડના વાપીના રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકવાની ઘટનાને લઈને રેલવે DRM તપાસ કરવા વાપી આવશે.જો કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર સહિતના અનેક સવાલો ઉભા થયા છે.

વડોદરામાં માલગાડી પાટા પરથી ઉતરી હતી

આ અગાઉ વડોદરા ડિવિઝનના મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન રેલવે ટ્રેક પર માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે ટેકનીકલ ખામી સર્જાતા માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો હતો. નેનપુર મહેમદાવાદ વચ્ચે રેલવે ટ્રેક પર આ ઘટના બની હતી.જે ઘટનાને લઈને તે ટ્રેક પર આવતી ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. તેમજ રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

( વીથ ઈનપુટ – અક્ષય કદમ, વલસાડ ) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">