Rajkot: ઉપલેટા યાર્ડમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ, જુઓ Video

રાજકોટ ખાતે ઉપલેટાના ગાંધી માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થઈ છે. મહત્વનુ છે કે યાર્ડમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ખુલ્લી બજારમાં ઓછા ભાવે ઘઉં વેચવા ખેડૂતો મજબૂર છે. ઘઉંનો યોગ્ય ભાવ ન મળતા હોવાની ખેડૂતોની ફરિયાદ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 9:48 PM

Rajkot: ઉપલેટાના ગાંધી માર્કેટયાર્ડમાં હાલ ઘઉની આવક થઈ રહી છે. પરંતુ ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. જે ઘઉંના ઉત્પાદન પાછળ ખેડૂતોએ વીધા દીઠ 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, તે જ ઘઉંની પ્રતિમણની કિંમત હાલ ખેડૂતોને માત્ર 400થી 450 રૂપિયા મળી રહી છે. જે ખેડૂતોના કહેવા પ્રમાણે ખૂબ જ ઓછો ભાવ છે. ખેડૂતોની માગ છે કે સારી ગુણવત્તાવાળા ઘઉં હોવા છતાં આટલી ઓછી કિંમત મળવી તે ખેડૂતો માટે યોગ્ય નથી. જેથી ખેડૂતો પ્રતિમણ ઘઉંના 700થી 800 રૂપિયા મળવા જોઈએ તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્યના એક કેબિનેટ મંત્રી IPLની ટિકિટ માટે આવતા ફોનથી છે પરેશાન

ચોમાસું પાકનું વાવેતર કરવાનું હોવાથી ખેડૂતો ઓછા ભાવે ઘઉં વેચવા મજબૂર બન્યા છે.. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ મળીને ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. એક તરફ જ્યાં ખેડૂતો ઘઉંના ઓછા ભાવ મળી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ માર્કેટયાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">