Ahmedabad: પૂરની સ્થિતિમાં 108ના કર્મચારીઓની સરાહનીય કામગીરી, દર્દીને પાણીમાં ઉચકીને હોસ્પિટલ પહોંચાડ્યો

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પાલડીમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 2:35 PM

અમદાવાદમાં (Ahmedabad) થોડા કલાકોમાં ખાબકેલા અનરાધાર વરસાદે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અમદાવાદ શહેરમાં આભ ફાટવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. શહેરના 6 વિસ્તારોમાં 10 ઈંચથી વધારે વરસાદ (Rain) ખાબક્યો છે. શહેરમાં અનેક વિસ્તારામાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પાલડીમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. આવી પરિસ્થિતિમાં પણ પાલડી વિસ્તારમાં પાણીમાં ઉતરીને 108ના (108 Ambulance) કર્મચારીએ એક દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો છે.

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની સરાહનીય કામગીરી

અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પાલડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી. જેના કારણે 108ના કર્મચારીઓ ઘૂંટણસમા પાણીમાં ઉતરીને દર્દીના ઘર સુધી પહોંચ્યા હતા અને દર્દીને પાણીમાં ઉંચકીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 108ના EMT જીગર વર્મા અને પાયલોટ ધર્મેન્દ્ર પટેલે દર્દીને હોસ્પિટલ પહોંચાડતા તેમની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">