AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અડાલજ ટોલનાકા પર ગૌસેવકોની સતર્કતા, કતલખાને લઈ જવાતા 16 પશુઓ બચાવાયા

અડાલજ ટોલનાકા પર ગૌસેવકોની સતર્કતા, કતલખાને લઈ જવાતા 16 પશુઓ બચાવાયા

| Updated on: Dec 28, 2025 | 1:36 PM
Share

ગાંધીનગર જિલ્લાના અડાલજ ટોલનાકા પાસે અમદાવાદ-મહેસાણા હાઈવે પર ગૌસેવકોની સતર્કતાના કારણે મોટી કાર્યવાહી સામે આવી છે. ટોલનાકા પરથી પસાર થતા એક શંકાસ્પદ વાહનને રોકી ગૌસેવકો અને ટોલ ટેક્સના કર્મચારીઓએ તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો હતો.

ગાંધીનગર જિલ્લાના અડાલજ ટોલનાકા પાસે અમદાવાદ-મહેસાણા હાઈવે પર ગૌસેવકોની સતર્કતાના કારણે મોટી કાર્યવાહી સામે આવી છે. ટોલનાકા પરથી પસાર થતા એક શંકાસ્પદ વાહનને રોકી ગૌસેવકો અને ટોલ ટેક્સના કર્મચારીઓએ તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નંદાસણ વિસ્તારમાંથી કુલ 16 પશુઓને અમદાવાદ સ્થિત કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. પશુઓને વાહનમાં અમાનવીય રીતે ભરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ગૌસેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

પશુઓને સુરક્ષિત રીતે ઉતાર્યા

પોલીસે વાહન જપ્ત કરી પશુઓને સુરક્ષિત રીતે ઉતારી લીધા હતા અને ગૌરક્ષક સંસ્થાની મદદથી તેમને આશ્રયસ્થાનમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પશુ પરિવહન સંબંધિત કાયદાઓ હેઠળ આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાએ ફરી એકવાર ગૌરક્ષા અને ગેરકાયદેસર પશુ પરિવહન સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઉપર ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક ગૌસેવકોની સતર્કતાથી મોટી દુર્ઘટના અટકી હોવાનો લોકોમાં અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">