Gandhinagar: કલોલમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, શહેરના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
કલોલમાં કોલેરાની સ્થિતિ વધુ ન વણસે તે માટે 1 મહિના સુધી તમામ પ્રકારની ખાણીપીણીની દુકાનો બંધ રાખવાનું ફરમાન કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રોગચાળો વકર્યો હોવાના મીડિયા અહેવાલ બાદ સ્થાનિક તંત્ર દ્વારા પાણીની લાઇનનો પૂરવઠો બંધ કરી દેવાયો હતો.
ગાંધીનગરના કલોલમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ સ્થિતિ એટલી વણસી ચૂકી છે કે, 10 હજારની વસતી ધરાવતા કલોલના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની ફરજ પડી છે. આગામી એક મહિના સુધી કલોલ પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. તો આ વિસ્તારમાં સર્વેલન્સ માટે અમદાવાદ કોર્પોરેશનની ટીમોની મદદ લેવામાં આવી છે.
કોલેરાની સ્થિતિ વધુ ન વણસે તે માટે 1 મહિના સુધી તમામ પ્રકારની ખાણીપીણીની દુકાનો બંધ રાખવાનું ફરમાન કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રોગચાળો વકર્યો હોવાના મીડિયા અહેવાલ બાદ સ્થાનિક તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક અસરથી પાણીની લાઇનનો પૂરવઠો બંધ કરી દેવાયો હતો. સાથે જ જ્યાં સુધી રોગચાળો ન અટકે ત્યાં સુધી તમામ ઘરોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનો નિર્ણય તંત્ર દ્વારા કરાયો છે.
આ પણ વાંચો: jammu Kashmir : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હિઝબુલનો TOP કમાન્ડર એન્કાઉન્ટરમાં ઠાર