AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવેમાં તમારી RAC સીટ હોય અને પ્રવાસ ના કરો તો ટિકીટના પૈસા પરત મળે ? જાણો શું છે રેલવેના નિયમ

જો તમે IRCTC ની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી છે અને તમારી ટ્રેન રદ કરવામાં આવી છે તો માત્ર ભાડાના પૈસા જ તમને પરત કરવામાં આવે છે જ્યારે ટિકિટ બુક કરતી વખતે અન્ય વિવિધ ચાર્જ પણ વસૂલવામાં આવે છે જે રિફંડપાત્ર નથી.

રેલવેમાં તમારી RAC સીટ હોય અને પ્રવાસ ના કરો તો ટિકીટના પૈસા પરત મળે ? જાણો શું છે રેલવેના નિયમ
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 3:06 PM
Share

ભારતીય રેલવે જે દરરોજ કરોડો મુસાફરોને સલામત રીતે તેમના સ્થળ પર લઈ જાય છે. કોરોના જેવી મહામારીને કારણ ભારતીય રેલવેએ ઘણી ટ્રેનોની સેવાઓ બંધ કરી દીધી હતી. પરંતુ જેમ જેમ સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તેમ ટ્રેનોનું સંચાલન પણ વધારવામાં આવી રહ્યું છે. જોકે, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે ક્યાંક જવા માટે ટ્રેનમાં તમારી ટિકિટ બુક કરાવી હોય અને રેલવેએ કોઈ કારણસર તમારી મુસાફરીની તારીખે તે ટ્રેનને રદ કરી દીધી હોય.

જો રેલવે કોઈ ટ્રેન રદ કરે અને તમે મુસાફરી કરી શકતા ન હોવ તો તમારી ટિકિટની સંપૂર્ણ રકમ તમને પરત કરવામાં આવે છે.

આ કારણે લોકો RAC ટિકિટ પર મુસાફરી કરવા માંગતા નથી

જો તમે IRCTC ની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી છે અને તમારી ટ્રેન રદ કરવામાં આવી છે તો માત્ર ભાડાના પૈસા જ તમને પરત કરવામાં આવે છે જ્યારે ટિકિટ બુક કરતી વખતે અન્ય વિવિધ ચાર્જ પણ વસૂલવામાં આવે છે જે રિફંડપાત્ર નથી. ભારતીય રેલવે અલગ અલગ સંજોગોમાં મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરે છે. પરંતુ જો તમે RAC સીટ મેળવ્યા પછી મુસાફરી ન કરો તો શું રેલવે તમારા ભાડાના પૈસા પરત કરે છે?

ઘણા લોકોને આરએસી સીટ પર મુસાફરી કરવાનું પસંદ નથી. ખરેખર, આરએસી ટિકિટ પર તમને માત્ર બેસવા માટે એક બેઠક મળે છે કારણ કે આમાં બે મુસાફરોએ એક જ સીટ પર બેસવું પડે છે અને તમે તમારી મુસાફરીમાં સૂઈ શકતા નથી. આ જ કારણ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ મહત્વનું કામ ન હોય ત્યાં સુધી લોકોને RAC બેઠકો સાથે મુસાફરી કરવાનું પસંદ નથી.

RAC ટિકિટ પર મુસાફરી ન કરવા માટે રેલવે શું ભાડું પરત કરે છે? હવે સવાલ એ આવે છે કે શું ચાર્ટ તૈયાર કર્યા પછી RAC સીટ મેળવ્યા પછી, જો તમે બિલકુલ મુસાફરી ન કરો તો શું રેલવે તમારા ભાડાના પૈસા પરત કરે છે ? આનો સરળ જવાબ ના છે. જો તમે તમારી RAC ટિકિટ પર મુસાફરી ન કરો તો રેલવે તમને કોઈ રિફંડ આપશે નહીં.

erail.in મુજબ, જો તમે તમારી મુસાફરીની ટિકિટ રદ ન કરો અથવા ટ્રેનની નિર્ધારિત પ્રસ્થાનની ત્રીસ મિનિટ પહેલા ઓનલાઇન TDR ફાઇલ ન કરો તો RAC ટિકિટ પર ભાડાનું કોઈ રિફંડ સ્વીકાર્ય રહેશે નહીં. જો તમને તમારી ટિકિટનું રિફંડ જોઈએ છે, તો તમારે નિર્ધારિત સમયે ટિકિટ રદ કરવી પડશે. જો તમે વિચારી રહ્યા છો કે તમે ટિકિટ રદ કર્યા વગર તમારી ટિકિટના પૈસા પાછા મેળવી શકો છો, તો તે શક્ય નથી.

આ પણ વાંચો : આજથી ATM દ્વારા પૈસા ઉપાડવું મોંઘુ થયું, જાણો કેટલા ચૂકવવા પડશે ચાર્જીસ

આ પણ વાંચો :PENSIONERS માટે ખૂબ જ મહત્વનો છે આ નંબર, ન હોય તો અટકી શકે છે પૈસા, જાણો વિગતવાર

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
g clip-path="url(#clip0_868_265)">