AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsAppએ ભારતમાં 64 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ, તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?

વોટ્સએપના રિપોર્ટ અનુસાર 1 મેથી 31 મેની વચ્ચે 65,08,000 વોટ્સએપ એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને તેમાંથી 2,420,700 એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલા જ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

WhatsAppએ ભારતમાં 64 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ, તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
WhatsApp
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 3:42 PM
Share

Meta માલિકીની વોટ્સએપે (WhatsApp) તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે નવા IT નિયમો 2021 હેઠળ આ વર્ષે મે મહિનામાં ભારતમાં 65 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે લાખો ખાતાઓ પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ શું હશે? તમને જણાવી દઈએ કે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે વપરાશકર્તાઓએ ભારતીય કાયદાઓ અને WhatsAppના સેવાના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. વોટ્સએપ તેના યુઝર્સની સુવિધા માટે રિપોર્ટ કરાયેલા એકાઉન્ટ પર તાત્કાલિક પગલાં લે છે. જેથી કરીને કોઈપણ યુઝરની પ્રાઈવસી અને સુરક્ષાને કોઈ ખતરો ન રહે.

વોટ્સએપે ભારતમાં 64 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

વોટ્સએપના રિપોર્ટ અનુસાર 1 મેથી 31 મેની વચ્ચે 65,08,000 વોટ્સએપ એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને તેમાંથી 2,420,700 એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલા જ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ જે દેશમાં લગભગ 500 મિલિયન વપરાશકર્તાઓ ધરાવે છે, મે મહિનામાં દેશમાં રેકોર્ડ 3,912 ફરિયાદ અહેવાલો પ્રાપ્ત થયા હતા, જેમાંથી 297એ રેકોર્ડ કાર્યવાહી કરી હતી.

QR કોડ દ્વારા ડેટા ટ્રાન્સફર કરો

WhatsApp ક્લાઉડ વિના QR કોડનો ઉપયોગ કરીને જૂના ફોનમાંથી ચેટને નવા ફોનમાં ટ્રાન્સફર કરવાની ઝડપી અને વધુ સુરક્ષિત રીત સાથે આવ્યું છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે વોટ્સએપ યુઝર્સ હવે તેમની ચેટને ડિવાઈસ વચ્ચે ટ્રાન્સફર કરી શકશે.

આ પણ વાંચો : Twitter Account Ban: કેમ 11 લાખથી વધારે ભારતીય એકાઉન્ટ પર લાગ્યો પ્રતિબંધ? જાણો કારણ

કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નથી

મેટા ચેનલ પર શેર કરવામાં આવેલ વિડિયો અનુસાર, યુઝર્સ QR કોડને સ્કેન કરીને સરળતાથી એક એન્ડ્રોઇડ ડિવાઇસથી બીજામાં ચેટ ટ્રાન્સફર કરી શકે છે. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની પણ જરૂર નથી. ક્લાઉડનો ઉપયોગ કર્યા વિના QR કોડ દ્વારા એક ઉપકરણમાંથી બીજા ઉપકરણમાં ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે તમારે એક વસ્તુની જરૂર પડશે કે તમારા બંને ઉપકરણો એક જ Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા હોવા જોઈએ.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">