AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Suicide ડ્રોન’ શું છે જેણે પાકિસ્તાનમાં મચાવી દીધી તબાહી? જાણો ક્યારથી થઈ રહ્યો તેનો ઉપયોગ

What is suicide drone: મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના હવાઈ હુમલામાં 'સુસાઈડ ડ્રોનનો' ઉપયોગ કરવામાં આવ્યો છે. જે છૂપાઈને તેના ટાર્ગેટને નષ્ટ કરવા માટે જાણીતા છે.

'Suicide ડ્રોન' શું છે જેણે પાકિસ્તાનમાં મચાવી દીધી તબાહી? જાણો ક્યારથી થઈ રહ્યો તેનો ઉપયોગ
What is the Suicide Drone
| Updated on: May 07, 2025 | 1:46 PM
Share

મંગળવારે મોડી રાત્રે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભારતે આ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના હવાઈ હુમલામાં ‘સુસાઈડ ડ્રોનનો’ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે છૂપાઈને તેના ટાર્ગેટને નષ્ટ કરવા માટે જાણીતા છે.

સુસાઈડ ડ્રોન શું છે?

સુસાઈડ ડ્રોન ઘણા નામોથી ઓળખાય છે. તેને કામિકાઝે ડ્રોન અને LMS (લોઇટરિંગ મ્યુનિશન સિસ્ટમ્સ) પણ કહેવામાં આવે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં આ સુસાઈડ ડ્રોનનો ઘણી વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની ઘણી તસવીરો વાયરલ પણ થઈ હતી. જાણો, સુસાઈડ ડ્રોન શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેને ગેમ ચેન્જર કેમ કહેવામાં આવે છે.

આ સામાન્ય રીતે જોવા મળતા ડ્રોનથી અલગ છે. તેમને ખાસ કરીને દુશ્મન પર હુમલો કરવા માટે બનાવવામાં આવ્યા છે. તે હથિયારો સાથે દુશ્મનના સ્થળો સુધી પહોંચે છે અને લક્ષ્ય નક્કી ન થાય ત્યાં સુધી તેની આસપાસ જ ફર્યા કરે છે. આ પછી તે ત્યાં વિસ્ફોટ કરે છે. એકવાર છોડ્યા પછી, તેમની ઉડાનને ડાયવર્ટ કરી શકાય છે અથવા રદ પણ કરી શકાય છે. આ જ કારણે તે પાકિસ્તાનમાં હુમલો કરવા માટે ગેમ ચેન્જર બન્યું.

સુસાઈડ ડ્રોન ગેમ ચેન્જર સાબિત થયું

તેને સુસાઈડ ડ્રોન નામ આપવામાં આવ્યું છે કારણ કે તેઓ આત્મઘાતી વિસ્ફોટકો લઈને જાય છે અને લક્ષ્ય સુધી પહોંચ્યા પછી વિસ્ફોટ કરે છે. સંરક્ષણ વિશ્લેષક એલેક્સ કહે છે કે, ક્રુઝ મિસાઇલોની જેમ, તેઓ સેંકડો કિલોમીટર દૂરના લક્ષ્યોને ભેદી શકે છે, પરંતુ ક્રુઝ મિસાઇલો ખર્ચાળ છે, તેથી “કેમિકેઝ” એટલે કે સુસાઈડ ડ્રોન એક સસ્તો અને સચોટ વિકલ્પ સાબિત થાય છે.

કામિકેઝ ડ્રોન માઇલો સુધી ઉડે છે અને લક્ષ્યને શોધવા, ઓળખવા અને હુમલો કરતા પહેલા હવાઈ ક્ષેત્રમાં રાહ જુએ છે. પછી હુમલો કરે છે. આ જ કારણ છે કે તેઓ ગેમ ચેન્જર સાબિત થાય છે.

સુસાઈડ ડ્રોન 1980 માં અસ્તિત્વમાં આવ્યું

આત્મઘાતી વિસ્ફોટકો લઈ જતા આ સુસાઈડ ડ્રોન 1980 માં અસ્તિત્વમાં આવ્યા. તેનો ઉપયોગ દુશ્મન હવાઈ સંરક્ષણ (SEAD) ના દમન તરીકે કરવામાં આવતો હતો. 90 ના દાયકામાં, ઘણા દેશોની સેનાઓએ દુશ્મનનો નાશ કરવા માટે સુસાઈડ ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેમનો ઉપયોગ વર્ષ-દર-વર્ષ વધતો ગયો. જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ, આત્મઘાતી ડ્રોનની ક્ષમતા વધતી ગઈ. પરિણામે, તેનો ઉપયોગ રશિયા-યુક્રેન યુદ્ધમાં થયો.

ભારતનો 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો

ઓપરેશન સિંદૂર દ્વારા, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો આ હવાઈ હુમલામાં, આતંકવાદી મસૂદ અઝહરનો આખો પરિવાર નાશ પામ્યો છે. પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે મસૂદ અઝહરના ઘર પર હુમલો કર્યો છે. આમાં 10 લોકો માર્યા ગયા છે. મસૂદ અઝહરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે મારા પરિવારના 10 લોકો માર્યા ગયા છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

Follow Us
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
g clip-path="url(#clip0_868_265)">