WhatsAppમાં શું હોય છે End-to-End Encryption? આ અહેવાલમાં જાણો તેના ફાયદા અને નુકશાન

એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન (End-to-End Encryption) વોટ્સએપનું એક એવું પ્રાઈવેસી ફીચર છે, જેના વિશે ખુબ ચર્ચા થતી રહે છે. વોટ્સએપ વાપરતી વખતે તમે આ ફીચર વિશે જાણકારી મેળવી જ હશે. ચાલો જાણીએ આ ફીચર વોટ્સએપ યુઝર્સને કઈ રીતે પ્રભાવિત કરે છે.

WhatsAppમાં શું હોય છે  End-to-End Encryption? આ અહેવાલમાં જાણો તેના ફાયદા અને નુકશાન
End-to-End Encryption in WhatsApp Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 11:50 PM

દુનિયામાં હાલ સૌથી વધારે વપરાતું મેસેજિંગ એપ એટલે વોટ્સએપ (WhatsApp).તે પોતાના યુઝર્સની સુવિધાનું ખુબ ધ્યાન રાખે છે. તે યુઝર્સમી પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખે છે. હાલમાં જ કંપનીએ ઓનલાઈન સ્ટેટસ છુપાડવું, કોઈને બતાવ્યા વગર ગ્રુપ છોડવા જેવા પ્રાઈવેસી ફીચર જાહેર કર્યા હતા. નજીકના ભવિષ્યમાં યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન (End-to-End Encryption) વોટ્સએપનું એક એવું પ્રાઈવેસી ફિચર છે, જેના વિશે ખુબ ચર્ચા થતી રહે છે. વોટ્સએપ વાપરતી વખતે તમે આ ફીચર વિશે જાણકારી મેળવી જ હશે. ચાલો જાણીએ આ ફીચર વોટ્સએપ યુઝર્સને કઈ રીતે પ્રભાવિત કરે છે.

આ 5 રીતે સમજો End-to-End Encryption

  1. વોટ્સએપ પરની ચેટ્સ “એનક્રિપ્ટેડ” છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા ફક્ત WhatsApp મેસેજ મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ ચેટ જોઈ શકે છે. WhatsApp પોતે આ ચેટ જોઈ શકતું નથી.
  2. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હેઠળ WhatsApp પર 2 યુઝર્સ વચ્ચે મોકલવામાં આવેલા તમામ મેસેજ, ફોટા, વીડિયો, વૉઇસ મેસેજ, સ્ટેટસ અપડેટ્સ અને કૉલ્સ વગેરેને સુરક્ષિત રાખવામાં આવે છે. કોઈ ત્રીજી વ્યક્તિ WhatsApp ચેટ જોઈ શકતી નથી.
  3. વોટ્સએપનું કહેવું છે કે , એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર તમામ મેસેજને સિંગલ લોક દ્વારા સુરક્ષિત કરે છે. જે યુઝર્સ વોટ્સએપ મેસેજ મોકલે છે અને મેળવે છે તેમની પાસે જ મેસેજને અનલોક કરવા માટે ખાસ કી હોય છે. અન્ય તમામ યુઝર્સ તેમને વાંચી શકશે નહીં.
  4. WhatsApp એ તમામ યુઝર્સ માટે મૂળભૂત રીતે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સક્ષમ કર્યું છે. એવું નથી કે યુઝરને મેસેજ એન્ક્રિપ્શન માટે કોઈ અલગ સેટિંગ કરવું પડે. તેથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને દૂર કરવાનો કોઈ વિકલ્પ નથી.
  5. હાલમાં વોટ્સએપ અને ભારત સરકાર વચ્ચે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને લઈને ઘણો વિવાદ થયો છે. ભારતના IT નિયમ અનુસાર, સરકાર જરૂર પડ્યે WhatsApp જેવા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સની વિગતો માંગી શકે છે, પરંતુ આ બાબતો WhatsAppના મૂળ વિચારની વિરુદ્ધ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">