Breaking News : મોબાઈલ ફોનના હપ્તા નહીં ભરો તો હવે બેંક કરી શકશે તમારો ફોન કંટ્રોલ, RBI ના નવા નિયમ
આરબીઆઈએ મોબાઈલ ફોન લોન ડિફોલ્ટ અંગે નવા ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. જો ગ્રાહક મોબાઇલ લોન EMI ચૂકવવામાં નિષ્ફળ જશે, તો બેંકો ફોનની સુવિધાઓ પર નિયંત્રણ મૂકી શકશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ મોબાઇલ ફોન લોન ડિફોલ્ટ્સને લઈને નવા ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. આ નિયમો મુજબ, જો કોઈ ગ્રાહક મોબાઇલ ફોન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની EMI સમયસર ચૂકવવામાં નિષ્ફળ જાય, તો બેંકો અને નાણાકીય સંસ્થાઓ ફોનની કેટલીક સુવિધાઓ પર નિયંત્રણ મૂકી શકશે.
જો તમે મોબાઇલ લોન પર ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે. RBI દ્વારા પ્રસ્તાવિત આ નવા નિયમો 1 ઓક્ટોબર, 2026થી અમલમાં લાવવાની યોજના છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ફિનટેક કંપનીઓ અને ડિજિટલ ધિરાણકર્તાઓ લોન ડિફોલ્ટ થતાં મોબાઇલ ફોનને બ્લોક અથવા મર્યાદિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી હતી. હવે RBI આ પ્રક્રિયાને સત્તાવાર રીતે નિયમન કરવા માંગે છે.
ડ્રાફ્ટ નિયમો અનુસાર, બેંકો ફક્ત તેવા કેસોમાં જ ફોન પર પ્રતિબંધ મૂકી શકશે જ્યાં લોન ખાસ કરીને તે ઉપકરણ ખરીદવા માટે લેવામાં આવી હોય. ઉપરાંત, લોન એગ્રીમેન્ટમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવો પડશે કે ડિફોલ્ટની સ્થિતિમાં કયા પ્રકારના નિયંત્રણો લાગુ થઈ શકે છે.
RBI એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને અગાઉથી તમામ શરતો વિશે જાણ કરવી જરૂરી રહેશે. તેમાં ડિફોલ્ટ બાદ લેવામાં આવનાર પગલાં, EMI ભરવા માટે આપવામાં આવતી સમયમર્યાદા અને ફરિયાદ નોંધાવવા માટે ઉપલબ્ધ વિકલ્પોની માહિતી સામેલ રહેશે.
નવા ડ્રાફ્ટ મુજબ, જો લોન ખાતું 90 દિવસથી વધુ સમય સુધી બાકી રહેશે અને ગ્રાહકને અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં ચૂકવણી નહીં કરવામાં આવે, ત્યારે જ બેંકો પ્રતિબંધાત્મક પગલાં લઈ શકશે.
સૌપ્રથમ, જ્યારે લોન 60 દિવસથી વધુ સમય માટે બાકી રહેશે ત્યારે બેંક ગ્રાહકને નોટિસ મોકલશે અને બાકી રકમ ચૂકવવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય આપશે. ત્યારબાદ પણ ચૂકવણી નહીં થાય તો બીજી નોટિસ આપવામાં આવશે, જેમાં વધારાના 7 દિવસનો સમય આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ફોનની કેટલીક સુવિધાઓ પર નિયંત્રણ મૂકવાની કાર્યવાહી થઈ શકશે.
BSNLનો 365 દિવસની વેલિડિટી વાળો પ્લાન ! રોજ મળશે 2GB ડેટા સહિતના લાભ
