Chandrayaan-3 : ચંદ્ર પર પ્રજ્ઞાનને નડી પહેલી મોટી મુશ્કેલી, રોવરે આ રીતે કરી પાર

|

Aug 28, 2023 | 3:13 PM

ચંદ્રયાન-3ને ચંદ્ર પર પગ મૂક્યાને 5 દિવસ થઈ ગયા છે અને તેનું સંશોધન ચાલી રહ્યું છે. ISROને ચંદ્ર વિશે એવી ઘણી બાબતો જાણવા મળી છે, જેનાથી દુનિયા હજી અજાણ હતી.

Chandrayaan-3 : ચંદ્ર પર પ્રજ્ઞાનને નડી પહેલી મોટી મુશ્કેલી, રોવરે આ રીતે કરી પાર
Chandrayaan 3 Pragyan

Follow us on

ISROનું મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર પોતાનું કામ કરી રહ્યું છે. 23 ઓગસ્ટે લેન્ડિંગ કર્યા પછી, પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરની જોડીએ ચંદ્ર પર સંશોધન શરૂ કર્યું, હવે તેણે તેની પ્રથમ મોટી અડચણ પાર કરી લીધી છે. પ્રજ્ઞાન રોવરની સામે 100 મીમીનો ખાડો આવી ગયો હતો, જેને પાર કરીને તે આગળ વધ્યુ હતુ. પ્રજ્ઞાન રોવરના આ પગલાથી ISROના વૈજ્ઞાનિકોને ઘણી રાહત મળી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. વીરમુથુવેલે પ્રજ્ઞાન રોવર વિશે પ્રારંભિક માહિતી આપી છે. તેણે કહ્યું કે પ્રજ્ઞાન રોવરની સામે આ પહેલો મોટો પડકાર હતો, જેને તેણે પાર કરવો પડ્યો. આ ખાડો 100 મીમી છે. પ્રજ્ઞાન એને અવગણીને આગળ વધ્યુ.

પ્રજ્ઞાનનું કામ સરળ નથી

પી. વીરમુથુવેલે સમજાવ્યું કે, પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ચાલવા માટેની સૂચનાઓ ફક્ત ISRO તરફથી જ છે. અહીં કેન્દ્રમાંથી ચંદ્રની સ્થિતિનું પરીક્ષણ કરવામાં આવે છે અને પછી પ્રજ્ઞાન રોવરને સૂચનાઓ મોકલવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો પ્રજ્ઞાન રોવરને એક બિંદુથી બીજા સ્થાને મોકલવામાં આવે છે, તો ત્યાં જમીન, પ્રકાશ, તાપમાન અને બીજું બધું પરીક્ષણ કરવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર પ્રજ્ઞાન રોવર એક સમયે 5 મીટર સુધી જઈ શકે છે. આ દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પ્રજ્ઞાને એક ખાડો ઓળંગ્યો ત્યારે અમે પહેલી મુશ્કેલી પાર કરી છે. આપણે સમજવું પડશે કે પ્રજ્ઞાન કદમાં બહુ મોટું નથી, આ સિવાય કોમ્યુનિકેશનની સમસ્યાઓ પણ છે, આવી સ્થિતિમાં જો મૂવમેન્ટ કરવું પડે તો 5 કલાક જેટલો સમય લાગી શકે છે.

તાપમાન વિશે આશ્ચર્યજનક માહિતી

જણાવી દઈએ કે ઈસરોએ રવિવારે ચંદ્ર સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરના તાપમાન પર સંશોધન કર્યું છે, જેનો ગ્રાફ આશ્ચર્યજનક છે. પેલોડે જે માહિતી મેળવી છે તે મુજબ ચંદ્ર પર તાપમાન 70 ડિગ્રી સુધી જઈ શકે છે, જે વૈજ્ઞાનિકોની અપેક્ષા કરતા ઘણું જ વધારે છે. ઈસરોએ 50 ડિગ્રી સુધી તાપમાનનો અંદાજ લગાવ્યો હતો. પ્રજ્ઞાને હાલમાં કરેલા પરીક્ષણો અનુસાર, ચંદ્ર પર તાપમાન -10 ડિગ્રી સુધી જાય છે, જે 70 ડિગ્રી સુધી બદલાય છે.

ચંદ્રયાન-3 મિશનની વાત કરીએ તો, તેને 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ભાગમાં સફળ લેન્ડિંગ કર્યું હતું. ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બન્યો છે, જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ છે. ભારતે આ ભાગનું નામ ‘શિવ શક્તિ બિંદુ’ રાખ્યું છે. વિક્રમ લેન્ડર, પ્રજ્ઞાન રોવરે 23મી ઓગસ્ટથી જ કામ શરૂ કર્યું હતું, જે મુજબ હવે તેમની કામગીરી કરવાની સમય મર્યાદા 2જી સપ્ટેમ્બર સુધી છે.

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article