AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3 Live Tracker : મિશન ચંદ્રયાન 3નો 23 ઓગસ્ટનો સુધીનો જાણો રોડમેપ, જુઓ ચંદ્ર સુધી પહોંચવાની સફર LIVE

Chandrayaan 3 Live Tracker : ભારત સહિત આખી દુનિયાની નજર ચંદ્રયાન 3 મિશનની દરેક અપડેટ પર છે. હાલમાં ચંદ્રયાન 3 ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં છે. 5 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. તમે આ પ્રકિયાને લાઈવ પણ જોઈ શકો છો.

Chandrayaan 3 Live Tracker : મિશન ચંદ્રયાન 3નો 23 ઓગસ્ટનો સુધીનો જાણો રોડમેપ, જુઓ ચંદ્ર સુધી પહોંચવાની સફર LIVE
Chandrayaan 3 live tracker Image Credit source: ISRO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 7:44 AM
Share

Chandrayaan 3 : 14 જુલાઈ, 2023ના ઐતિહાસિક દિવસે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ થયુ. લોન્ચ થયાના આટલા બધા દિવસો બાદ પણ ચંદ્રયાન 3 સતત ચર્ચામાં છે. પૃથ્વીની કક્ષાના 5 ચક્કર લગાવીને ચંદ્રયાન 3 હાલમાં ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં છે. 5 ઓગસ્ટના દિવસે તે ચંદ્રની (Moon) કક્ષામાં પ્રવેશ કરશે અને 23 ઓગસ્ટે તે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. તમે ચંદ્રયાન 3ને લાઈવ પણ જોઈ શકો છો.

ચંદ્રયાન 3 પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. બેંગ્લોરના ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક સતત ચંદ્રયાન પર નજર રાખી રહ્યું છે. તેના માટે લાઈવ ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લાઈવ ટ્રેકરની મદદથી તમે ચંદ્રયાન 3ની સફરને લાઈવ જોઈ શકો છો. તેની મદદથી તમે જાણી શકો છો કે ચંદ્ર સુધી પહોંચવામાં ચંદ્રયાન 3ને કેટલો સમય લાગશે અને તેની ઝડપ કેટલી છે.

આ પણ વાંચો : Gaganyaanની ક્રૂ મોડ્યુલ રિકવરી ટેસ્ટિંગ રહી સફળ, Indian Navyના જવાનો એ આપ્યો સાથ

 24 કલાક મિશન ચંદ્રયાન 3 અહીં દેખાશે લાઈવ

મિશન ચંદ્રયાન 3માં 23 ઓગસ્ટ સુધી શું થશે ?

  • 5 ઓગસ્ટે સાંજે લગભગ 7 વાગ્યે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશો. તે ચંદ્રના 5 ચક્કર લગાવશે.
  • 17 ઓગસ્ટે ચંદ્રના 5 ચક્કર લગાવ્યા બાદ ચંદ્રયાન ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈ પર આવશે. ઈન્ટિગ્રેટેડ મોડયૂલ 100 કિમી વાળા ઓર્બિટમાં ચક્કર લગાવશે.
  • 18 ઓગસ્ટે ડીબુસ્ટિંગ પ્રકિયાથી ચંદ્રયાનના લેન્ડર મોડયૂલની ગતિ ઘટાડાશે. તેને 180 ડિગ્રીના એન્ગલ સાથે ઊલટી દિશામાં ફેરવાશે.જેથી ગતિ ઘટે.
  • ચંદ્ર તરફ જવા માટે ગતિને 2.38 કિમી પ્રતિ સેકન્ડથી ઓછી કરીને 1 કિમી પ્રતિ સેકન્ડ કરાશે.
  • 20 ઓગસ્ટે લેન્ડર મોડયૂલ ડીઓર્બિટિંગ થશે. ચંદ્રયાન 3ના લેન્ડરને 100 x 30 કિમીના લૂનર ઓર્બિટમાં ઉમેરાશે. ત્યારબાદ લેન્ડિંગની તૈયારી કરાશે.
  • 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરશે.

આ પણ વાંચો : ચંદ્રનો એક દિવસ પૃથ્વીના કેટલા દિવસ બરાબર હોય છે? અને કેવી રીતે ચાંદ પર થાય છે દિવસ અને રાત, જાણો અહીં

ચંદ્રયાન 3 મિશનની હમણા સુધીની ઘટનાઓ

  • 14 જુલાઈ, 2023ના દિવસે ઈસરોએ બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3ને સફળતાપૂર્વક લોન્ચ કર્યુ.
  • 15 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાનના સ્પેસક્રાફ્ટે ફાયરિંગની મદદથી પૃથ્વીની પ્રથમ ભ્રમણકક્ષામાં ફરવાનું શરુ કર્યુ.
  • 17 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3 પૃથ્વીની બીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 18 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3 પૃથ્વીની ત્રીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 20 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન 3એ પૃથ્વીની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો.
  • 25 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3એ પૃથ્વીની અંતિમ અને પાંચમી ભ્રમણકક્ષામાં ભ્રમણ કરવાનું શરુ કર્યુ
  • 1 ઓગસ્ટની મધરાત્રે 12 થી 1 કલાકની વચ્ચે ચંદ્રયાન 3એ પૃથ્વીની કક્ષા છોડી ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે.
  • 5 ઓગસ્ટના દિવસે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3.

આ પણ વાંચો : Mission Gaganyaan Video : ઈસરો ફરી રચશે ઈતિહાસ, ગગનયાનના સર્વિસ મોડ્યૂલ પ્રોપલ્શન ટેસ્ટ રહ્યો સફળ, જુઓ Video

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">