Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપિલ દેવને લઈને યુવરાજ સિંહના પિતાના નિવેદને હંગામો મચાવ્યો, એવી હાલત કરીશ કે દુનિયા થુંકશે

યોગરાજ સિંહ પોતાના વિવાદોને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. તેમણે ફરી એક વખત કપિલ દેવ અને ધોની પર નિવેદન આપ્યું છે. યોગરાજ સિંહે એક ઈન્ટરવ્યુ દરમિયાન કપિલ દેવ અને ધોની પર ગંભીર આરોપ લગાવ્યા છે.

કપિલ દેવને લઈને યુવરાજ સિંહના પિતાના નિવેદને હંગામો મચાવ્યો, એવી હાલત કરીશ કે દુનિયા થુંકશે
Follow Us:
| Updated on: Sep 02, 2024 | 2:55 PM

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે એક ઈન્ટરવ્યુ આપ્યું છે. જેમાં તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે. એ વિવાદોને લઈ હવે ચર્ચા થઈ રહી છે. યોગરાજ સિંહે પોતાના ઈન્ટરવ્યુમાં ધોની પર નિશાન સાધ્યું છે. આ સિવાય તેમણે કપિલ દેવને લઈને જે કહ્યું તેનાથી ધમાલ મચી છે. ઈન્ટરવ્યુ દરમિયાન યોગરાજ સિંહે કપિલ દેવ પર આરોપ લગાવ્યો કે, તેના કારણે તેને ટીમમાંથી દુર કરવામાં આવ્યા હતા. યોગરાજ સિંહે ભારત માટે 1 ટેસ્ટ એને 6 વનડે રમી છે.

કપિલ દેવ પર લગાવ્યા ગંભીર આરોપ

કપિલ દેવની સાથે યોગરાજ સિંહેના સંબંધો લાંબા સમયથી વિવાદભર્યા છે. યોગરાજ સિંહે કહ્યું આ ઘટના 1981ની છે. યોગરાજના કહેવા પ્રમાણે, કપિલ દેવ તેને પોતાના પ્રતિસ્પર્ધી તરીકે જોતા હતા, જેના કારણે તેણે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો.

એવું કરીશ કે, દુનિયા આખી થુંકશે

યોગરાજ સિંહે ઈન્ટવ્યુમાં જે વાત કરી છે. હવે તેના પર વાત કરીએ તો, તેમણે કહ્યું હું લોકોને દેખાડવા માંગુ છું કે, યોગરાજ શું છે. જેમણે ખરાબ કર્યું છે તેમાં કેટલાકને કેન્સર છે, કેટલાકે ઘર ગુમાવ્યું છે અને કેટલાકને પુત્ર નથી. યોગરાજે કહ્યું કે તમે સમજી જ રહ્યા હશો કે હું જેની વાત કરી રહ્યો છું. તે મહાન કેપ્ટન મિસ્ટર કપિલ દેવ છે.

'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?

યોગરાજ સિંહે આગળ કહ્યું કપિલ દેવને મેં કહ્યું હતુ કે, હું એવી હાલત કરીશ દુનિયા થુકશે. આજે યુવરાજ સિંહની પાસે 13 ટ્રોફી છે અને કપિલ દેવની પાસે માત્ર એક વર્લ્ડકપ. બસ વાત અહિ પૂર્ણ થઈ જાય છે.

ધોની પર નિશાન સાધ્યું

કપિલ દેવ પર નિવેદન આપતા પહેલા યોગરાજ સિંહે ધોની પર પણ નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું તે જિંદગીભર ધોનીને માફ કરશે નહિ, તેમણે ધોની પર ગંભીર આરોપ લગાવતા કહ્યું તેમણે પોતાનું મોંઢુ જોવું જોઈએ. યોગરાજ સિંહ મુજબ ધોનીએ તેના દિકરા યુવરાજ સિંહની જિંદગી બરબાદ કરી છે. તે હજું 4 થી 5 વર્ષ રમી શકતો હતો. યોગરજા સિંહે ભારતને વર્લ્ડકપ જીતાડવા માટે પોતાના દિકરા યુવરાજ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે.

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">