વિકેટકીપર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરી, સતત થઇ રહ્યો હતો સાઇડ લાઇન
ભારતીય ટીમના વિકેટકિપર અને બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કર્યો છે. 35 વર્ષના આ ક્રિકેટરે તમામ પ્રકારની ક્રિકેટની રમતને છોડી દેવા માટેનો નિર્ણય કર્યો છે. જોકે તેઓ હવે કોમેન્ટ્રી અને કોચીંગ તેમજ અન્ય ચીજો સાથે જોડાયેલો રહી શકે છે. ડાબા હાથના બેટ્સમેન પાર્થિવ પટેલ 17 રનની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. […]
ભારતીય ટીમના વિકેટકિપર અને બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કર્યો છે. 35 વર્ષના આ ક્રિકેટરે તમામ પ્રકારની ક્રિકેટની રમતને છોડી દેવા માટેનો નિર્ણય કર્યો છે. જોકે તેઓ હવે કોમેન્ટ્રી અને કોચીંગ તેમજ અન્ય ચીજો સાથે જોડાયેલો રહી શકે છે.
ડાબા હાથના બેટ્સમેન પાર્થિવ પટેલ 17 રનની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. કેટલાક સમય સુધી તે ભારતીય ટીમનો હિસ્સો રહ્યો હતો, પરંતુ બાદમાં મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવતા જ પાર્થીવ બહાર થઇ ગયો હતો. આમ તે ટીમમાં વિકેટકીપર બેટ્સમેનના બીજા વિકલ્પ રુપે રાખવામાં આવતો હતો. જોકે વચ્ચે વચ્ચે તેને કેટલાક મોકા મળ્યા હતા. પરંતુ તે તેમાં ખાસ સફળ થઇ શક્યો નહોતો. એટલે સુધી કે તેને આઇપીએલમાં પણ આ વર્ષે એક પણ તક મળી શકી નહોતી. જ્યારે પાછલા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીનો વાઇસ કેપ્ટન હતો. ગત વર્ષે આઇપીએલની તમામ મેચ તે રમ્યો હતો. આ વર્ષે તે આરસીબીના બેંચ સ્ટ્રેંથનો જ હિસ્સો રહ્યો હતો.
અમદાવાદમાં જન્મેલા પાર્થિવ પટેલે 2002 માં ન્યુઝીલેન્ડ સામે વન ડે અને ઇંગ્લેંડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તેના કેરિયરમાં 25 ટેસ્ટ મેચ રમીને 6 જેટલા અર્ધશતક સાથે 934 રન નોધાવ્યા હતા. 38 વન ડે મેચ રમીને 4 અર્ધ શતક સાથે 736 રન નોધાવ્યા હતા. જ્યારે ટી20 મેચ 2 રમ્યો હતો અને જેમાં તેણે 36 રન કર્યા હતા.
ટેસ્ટમાં કુલ 62 કેચ અને 10 સ્ટપિંગ આઉટ કર્યા હતા. વન ડેમાં 30 કેચ અને 9 સ્ટમ્પિંગ કર્યા હતા. જ્યારે ટી20 માં એક કેચ ઝડપ્યો છે. આઇપીએલની 139 મેચ રમીને 13 અર્ધશતક લગાવી 2848 રન કર્યા છે. તેણે આઇપીએલમાં 69 કેચ અને 16 સ્ટપિંગ કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો