T-20: પ્લેઓફનું શિડ્યુલ થઇ ગયુ નક્કી, ક્વોલિફાયરમાં મુંબઇ અને દીલ્હી,એલિમિનેટરમાં બેંગ્લોર વિરુધ્ધ હૈદરાબાદની ટક્કર

T-20 લીગની પ્લેઓફની ચારેય ટીમો નક્કિ થઇ ચુકી છે. લીગ સ્ટેજમાં 56 મેચો સુધી ચાલેલી ક્શમકશ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ એ ચોથી અને આખરી ટીમના સ્વરુપે અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદ અને મુંબઇ વચ્ચેની મેચ પછી પોઇન્ટ ટેબલ પણ સ્પષ્ટ થઇ ગયુ હતુ. ગત સિઝનનુ વિજેતા મુંબઇ પ્રથમ, દિલ્હી કેપીટલ્સ બીજા, સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા […]

T-20: પ્લેઓફનું શિડ્યુલ થઇ ગયુ નક્કી, ક્વોલિફાયરમાં મુંબઇ અને દીલ્હી,એલિમિનેટરમાં બેંગ્લોર વિરુધ્ધ હૈદરાબાદની ટક્કર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 04, 2020 | 1:07 PM

T-20 લીગની પ્લેઓફની ચારેય ટીમો નક્કિ થઇ ચુકી છે. લીગ સ્ટેજમાં 56 મેચો સુધી ચાલેલી ક્શમકશ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ એ ચોથી અને આખરી ટીમના સ્વરુપે અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદ અને મુંબઇ વચ્ચેની મેચ પછી પોઇન્ટ ટેબલ પણ સ્પષ્ટ થઇ ગયુ હતુ. ગત સિઝનનુ વિજેતા મુંબઇ પ્રથમ, દિલ્હી કેપીટલ્સ બીજા, સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા અને રોયલ ચેન્જર્સ બેંગ્લોર ચોથા નંબર રહ્યુ હતુ.

આ સાથે જ પ્લેઓફની મેચો પણ હવે નક્કિ થઇ ચુકી છે. ફાઇનલ માટે પ્રથમ ક્વાલીફાયર મેચમાં ટોપની બે ટીમો મુંબઇ અને દિલ્હી નો મુકાબલો થશે. આ મેચ 5, નવેમ્બરે દુબઇમાં રમાનાર છે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરુ થશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ટીમ ફાઇલન ની ટીકીટ મેળવી લેશે. તો વળી હારી જનારી ટીમને ફાઇનલમાં જવા માટે એક મોકો વધુ મળશે. તેણે બીજી ક્વોલીફાયર રમવાની રહેશે. ત્રીજા નંબર પર રહેલા હૈદરાબાદ અને ચોથા નંબરના બેંગ્લોરને 6, નવેમ્બરે અબુધાબીમાં એલિમિનેટરમાં ટકરાવાનુ છે. તેમાં જે ટીમ હારશે તે ટુર્નામેન્ટ થી બહાર થઇ જશે. જે ટીમ જીતશે તે બીજી ક્વોલીફાયરમાં રમશે. જ્યાં તેનો પહેલી ક્વોલીફાયર માં હારવા વાળી ટીમ સામે સામનો થશે. બીજી ક્વલોલીફાયર મેચ 8, નવેમ્બરે અબુધાબીમાં રમાશે. જેમાં જે ટીમ જીતી જશે, તે ફાઇનલમાં પહોંચવા વાળી બીજી ટીમ હશે. જે ટાઇટલ માટેની મેચ રમશે. ફાઇનલ મેચ 10, નવેમ્બરે દુબઇમાં યોજાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ વખતે પ્લેઓફમાં પહોચેલી બે ટીમો પુર્વ વિજેતા ટીમો છે, જ્યારે બીજી બે ટીમોને હજુ પણ ખિતાબનો ઇંતઝાર છે. મુંબઇ ચાર વાર આઇપીએલ ચેમ્પિયન્સ રહી ચુકી છે. તો વળી સનરાઇઝર્સ હૈદરાબાદ એક વખત આ ટાઇટલ મેળવી ચુકી છે. દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હજુ પણ ચેમ્પિયન બનાવાની રાહ જોઇ રહ્યુ છે.

દિલ્હી તો જોકે ક્યારેય ફાઇનલ સુધી પણ પહોચી શક્યુ નથી. જોકે આ વખતે તેને તેના જુના રેકોર્ડને સુધારવાના અને વિજેતા બનાવાની પુરી તક છે. તો વળી બેંગ્લોરની ટીમ ત્રણ વાર ફાઇનલ માં પહોંચી ચુકી છે, પરંતુ દરેક વાર તેને હાર જ મળી છે. આ ટીમ પણ હવે ઇચ્છશે કે દર વખતની કહાની આ વખતે બદલાઇ જાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">