AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Open: સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાંઇ પ્રણિત અને ઘ્રુવ રાવત કોરોના સંક્રમિત, ઇન્ડિયા ઓપનથી બંને બહાર થયા

બી સાંઇ પ્રણિત અને ધ્રુવ રાવત બંને દિલ્હીમાં રમાનાર ઇન્ડિયા ઓપનમાં હિસ્સો લેનાર હતા અને એ પહેલા જ તેઓ કોરોના સંક્રમિત જણાયા છે.

India Open: સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાંઇ પ્રણિત અને ઘ્રુવ રાવત કોરોના સંક્રમિત, ઇન્ડિયા ઓપનથી બંને બહાર થયા
Sai Praneeth: હૈદરાબાદથી દિલ્હી રવાના થવા પહેલા કોરોના પરિક્ષણ કરાવ્યુ હતુ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 9:57 PM
Share

કોરોના વાયરસ (Corona Virus) ફરી એકવાર વધવા લાગ્યો છે. વિશ્વભરમાં કોરોના (Covid19) એ અનેક ક્ષેત્રોમાં મુશ્કેલી સર્જી દીધી. સાથે જ આ મુશ્કેલી વેઠવામાંથી રમત જગત પણ સહેજે બાકાત નથી. આ દરમિયાન ભારતમાં કોરોના કેસોનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. જેમાં એક બાદ એક ખેલાડીઓ પણ કોરોનાની ઝપેટમાં આવતા જઇ રહ્યા છે. હવે બેડમિન્ટન સ્ટાર સાઇ પ્રણિત (Sai Praneeth) કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા છે. આ ઉપરાંત ધ્રુવ રાવત (Dhruv Rawat) કોરોના સંક્રમિત થયો છે. જે બંને હવે ઇન્ડિયા ઓપન થી બહાર થવા મજબૂર બન્યા છે.

કોરોનાની કપરી સ્થિતી છતાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દિલ્હીમાં ઈન્ડિયા ઓપનનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ તેના પર કોરોનાનુ સંકટ મંડરાવા લાગ્યુ છે. આ ટૂર્નામેન્ટ 11 જાન્યુઆરીથી શરૂ થવાની હતી પરંતુ હવે સ્ટાર ખેલાડી બી સાઈ પ્રણીત તેનો હિસ્સો બની શકશે નહીં.

હૈદરાબાદથી દિલ્હી જતા સમયે પ્રણીતે કોરોના વાયરસ અંગે પરિક્ષણ કરાવ્યુ હતુ. BAI એ જે રિપોર્ટ અંગે માહિતી આપી છે કે, તે કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રણિત ઉપરાંત ધ્રુવ રાવતનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બંને ખેલાડીઓ ઈન્ડિયા ઓપનમાંથી બહાર થઈ ગયા છે.

મેડાલિસ્ટ પ્રણિતે આમ કહ્યુ

2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રણિતે કહ્યું, ‘હું કોરોના પોઝિટિવ છું અને હાલમાં ઘરે આઈસોલેટ છું. મને શનિવારે શરદી અને ઉધરસ હતી. મારે ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે આઇસોલેશનમાં રહેવું પડશે. આ વર્ષ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી એ પણ મહત્વનું છે કે હું ફરીથી ફિટનેસ મેળવી લઉં.

અગાઉ, ઈંગ્લેન્ડના ડબલ્સ નિષ્ણાત સીન વેન્ડી અને કોચ નાથન રોબર્ટસનનો COVID-19 પોઝિટિવ હોવાનો પરીક્ષણ રિપોર્ટ પછી સમગ્ર બેડમિન્ટન ટીમ આગામી ઈન્ડિયા ઓપનમાંથી ખસી ગઈ હતી. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) એ રવિવારે ઈંગ્લેન્ડની બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો.

આ પણ વાંચોઃ MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ! 

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયામાં પોતાની ભૂમિકાને લઇને વેંકટેશ ઐયરે કહ્યુ, મારુ કામ ફક્ત ‘ખેલ ખતમ’ કરવાનુ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">