Video: ભૂખ ન સહન કરી શક્યો આ ભારતીય ખેલાડી, ફ્લાઈટમાં જ ખાઈ લીધા ચાર-ચાર સમોસા

ભારતીય ટીમ ગ્રુપ Aમાં છે અને આ ગ્રુપની બાકી એક મેચ ફ્લોરિડામાં રમવાની છે. આ માટે જ્યારે રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ 1600 કિલોમીટરની લાંબી સફર માટે નીકળ્યા ત્યારે ફ્લાઈટમાં ઘણા ખેલાડીઓને ભૂખ લાગી હતી. આ પછી મોહમ્મદ સિરાજે સમોસા ખાધા હતા. જે અંગે યુઝવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો હતો.

Video: ભૂખ ન સહન કરી શક્યો આ ભારતીય ખેલાડી, ફ્લાઈટમાં જ ખાઈ લીધા ચાર-ચાર સમોસા
mohammad siraj
Follow Us:
| Updated on: Jun 14, 2024 | 9:16 PM

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની ત્રણ મેચ રમી છે અને તમામ મેચ જીતીને સુપર-8 માટે ક્વોલિફાય પણ કરી લીધું છે. હવે ભારતીય ટીમે વધુ એક મેચ રમવાની છે, જેના માટે કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ ફ્લોરિડા પહોંચી ગયા છે. ટીમ ઈન્ડિયાની ફ્લોરિડા જઈ રહેલી ફ્લાઈટ દરમિયાન મોહમ્મદ સિરાજને ખૂબ ભૂખ લાગી હતી. આ પછી તેણે સમોસા ખાવાનું શરૂ કર્યું. ભારતીય ટીમ ફ્લોરિડામાં ઉતરી ત્યારે યુઝવેન્દ્ર ચહલે સિરાજને લઈને મોટો ખુલાસો કર્યો હતો.

ચહલે સિરાજ વિશે શું કહ્યું?

ન્યૂયોર્કમાં સતત ત્રણ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ફ્લોરિડા જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમની સુરક્ષા માટે નાસાઉ કાઉન્ટી પોલીસ ફ્લાઈટ સુધી હાજર હતી. કેનેડા સામે ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ રમવા માટે જ્યારે ખેલાડીઓ 1600 કિલોમીટરની લાંબી મુસાફરી માટે નીકળ્યા ત્યારે રસ્તામાં તેમને ખૂબ ભૂખ લાગી હતી. ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પોતાની ભૂખ સહન ન કરી શક્યો અને ફ્લાઈટમાં જ સમોસા ખાવા લાગ્યો. ફ્લાઈટ ફ્લોરિડામાં લેન્ડ થઈ ત્યારે યુઝવેન્દ્ર ચહલે દાવો કર્યો હતો કે સિરાજે 4 સમોસા ખાધા હતા. તેના પર સિરાજે તરત જ પોતાનો ખુલાસો રજૂ કર્યો અને કહ્યું કે તેને ભૂખ લાગી છે પરંતુ તેણે 4 નહીં પરંતુ 2 સમોસા ખાધા છે.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

ફ્લોરિડામાં ગ્રુપ સ્ટેજનો અંતિમ મુકાબલો કેનેડા સામે

ભારતીય ટીમ ગ્રુપ Aમાં છે અને બાકીની એક મેચ ફ્લોરિડામાં રમવાની છે. ન્યૂયોર્કમાં છેલ્લી મેચ ભારત અને અમેરિકા વચ્ચે હતી. આથી બંને ટીમના ખેલાડીઓ એક જ ફ્લાઈટમાં ફ્લોરિડા જવા રવાના થયા હતા. ભારતીય ક્રિકેટ ટીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં યુએસએનો બોલર નોસ્ટુશ કેન્ઝિગે ફ્લાઈટમાં ભારતીય ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : IPLમાં ધમાકો કરનાર શશાંક સિંહે મેચ જીત્યા બાદ કંઈક એવું કર્યું જેણે દરેકનું દિલ જીતી લીધું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">