યુસુફ પઠાણે ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ, તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, પહેલા કરશે આ કામ

યુસુફ પઠાણે પણ રાજકીય મેદાનમાં ઉતરીને ધમાકો સર્જ્યો છે. તેઓ પશ્ચિમ બંગાળની બહરમપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. યુસુફ પઠાણે પણ પોતાના વિરોધી અધીર રંજન ચૌધરીને હરાવીને ઈતિહાસ રચ્યો છે.

યુસુફ પઠાણે ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ, તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, પહેલા કરશે આ કામ
Yusuf Pathan
Follow Us:
| Updated on: Jun 04, 2024 | 6:25 PM

યુસુફ પઠાણ માત્ર ક્રિકેટની પીચ પર જ હિટ રહ્યો ન હતો પરંતુ હવે તેણે ધમાકેદાર રાજનીતિમાં પણ પ્રવેશ કર્યો છે. યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી TMC એટલે કે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. આમાં તેમનો ઈતિહાસ એવા નેતાને નજીકની હરીફાઈમાં પરાજય આપવાનો હતો જે છેલ્લા 25 વર્ષમાં ક્યારેય હાર્યા ન હતા. યુસુફ પઠાણે રાજકીય મેદાનમાં પ્રવેશતાની સાથે જ અધીર રંજન ચૌધરીને હરાવ્યા છે.

યુસુફ પઠાણ ચૂંટણી જીત્યા

અધીર રંજન ચૌધરીને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને પશ્ચિમ બંગાળની બેરહામપુર બેઠક પર તેમનું વર્ચસ્વ હતું. પરંતુ, ભારતીય ક્રિકેટના મોટા પઠાણે હવે પોતાનું વર્ચસ્વ ખતમ કરી દીધું છે. આ સાથે એ તમામ લોકોને જવાબ આપવામાં આવ્યો જેમના મનમાં આ પ્રશ્ન હતો કે બરોડાનો પઠાણ પશ્ચિમ બંગાળના બહેરામપુરનો સુલતાન કેવી રીતે બની શકે?

અધીર રંજન ચૌધરીને હરાવ્યા

ચૂંટણી જીતવાની સાથે 25 વર્ષનો રેકોર્ડ તોડતા યુસુફ પઠાણે એ પણ જાહેરાત કરી કે તે આગળ શું કરવા જઈ રહ્યો છે? પીટીઆઈ સાથે વાત કરતા પહેલા યુસુફ પઠાણે જીત પર ખુશી વ્યક્ત કરી હતી. પછી સૌનો આભાર માન્યો. તેમણે વધુમાં કહ્યું કે આ તેમની જીત નથી પરંતુ પાર્ટીના તમામ કાર્યકરોની જીત છે.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

પઠાણે ચૌધરી અંગે આપ્યું નિવેદન

યુસુફ પઠાણે પોતાના વિરોધી અધીર રંજન ચૌધરી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અધીર રંજનનું સન્માન કરે છે અને કરતા રહેશે. આટલું કર્યા પછી યુસુફ પઠાણ સીધો મુદ્દા પર આવ્યો અને કહ્યું કે હવે તે શું કરવા જઈ રહ્યો છે?

પહેલા આ કામ કરશે

યુસુફ પઠાણે કહ્યું કે સૌ પ્રથમ તેઓ બહેરામપુરમાં એક સારી સ્પોર્ટ્સ એકેડમી બનાવવા માંગે છે જેથી બાળકો તેમની કારકિર્દી બનાવી શકે. આ પછી તેણે ઈન્ડસ્ટ્રી ખોલવાની વાત કરી. તેમણે કહ્યું કે તેઓ હવે બહેરામપુરમાં રહેશે અને કાર્યકરો સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં મારો એક પરિવાર છે. પરંતુ, હવે બહેરામપુરના લોકો પણ મારો પરિવાર છે.

આ પણ વાંચો : T20 WC : ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડના આ 5 ખેલાડીઓથી સાવધાન રહેવું પડશે, પાકિસ્તાનને રડાવી દીધું હતું લોહીના આંસુ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">