આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ગુજરાતના આ ખેલાડીઓએ કરી કેપ્ટનશીપ, જાણો કોણ છે લિસ્ટમાં
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને(Hardik Pandya) T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાતનો પહેલો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો છે. જો કે આ પૂર્વે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ગુજરાતના ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી છે.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને(Hardik Pandya) T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાતનો(Gujarat) પહેલો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો છે. જો કે આ પૂર્વે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ગુજરાતના ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી છે. જેની વિગતવાર વાત કરીએ તો વર્ષ 1998-1999 માં ગુજરાતના અજય જાડેજાએ (Ajay Jadeja) ODIમાં કેપ્ટનશીપ કરી હતી. અજય જાડેજાએ 13 મેચોમાં કપ્તાની કરી છે તેમાં 8 મેચમાં જીત મેળવી છે અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અજય જાડેજાએ કપ્તાન તરીકે 44ની એવરેજથી 396 રન ફટકાર્યા છે. ODIમાં 1999માં છેલ્લી વખત ગુજરાતનો ખેલાડી અજય જાડેજા કેપ્ટન બન્યો હતો. તે એકમાત્ર ખેલાડી છે જે ગુજરાતમાંથી છે અને તેને આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી છે.
ગોધરામાં જન્મેલા નારી કોન્ટ્રાક્ટરે ભારતીય ટેસ્ટ મેચની કેપ્ટનશીપ કરી હતી
ટેસ્ટ મેચની વાત કરીયે તો ગોધરામાં જન્મેલા નારી કોન્ટ્રાક્ટરે ભારતીય ટેસ્ટ મેચની કેપ્ટનશીપ કરી હતી. 1960-61માં પાકિસ્તાન સામે 26 વર્ષની ઉંમરે કેપ્ટન બનાવામાં આવ્યો હતો. તેના સમયમાં તે કેપ્ટન અને બેટ્સમેન બંને તરીકે તેની ટોચ પર હતો. તેના નામે 22 સદીઓ સાથે, તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 39.86ની એવરેજથી 8611 રન બનાવ્યા. તેમણે સી.કે. ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન માટે 2007માં નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવ્યો છે. હાલમાં તે મુંબઈમાં રહે છે.
Datta Daekwad ભારતીય ટેસ્ટ ટીમની ઇંગ્લેન્ડ સામે કેપ્ટનશીપ કરી હતી
Datta Daekwad નો જામનગરમાં જન્મ થયો હતો. 1959 માં Datta Daekwad ભારતીય ટેસ્ટ ટીમની ઇંગ્લેન્ડ સામે કેપ્ટનશીપ કરી હતી. આ સમયમાં તે માત્ર 11 ટેસ્ટ મેચ રમ્યા હતા. રણજી ટ્રોફીમાં ગાયકવાડ બરોડા માટે આધારસ્તંભ હતો. તેઓ રણજી ટ્રોફી 1947 થી 1961 સુધી રમ્યા હતા.
વિનોદ માંકડે 1954-1959 સુધી ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી
વિનોદ માંકડે 1954-1959 સુધી ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી છે. વિનોદ માંકડનો જન્મ જામનગરમાં થયો હતો. બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટમાં વિનોદ માંકડના યોગદાનને યાદ કરીને સ્થાનિક અંડર-19 વન-ડે ટુર્નામેન્ટને વિનુ માંકડ ટ્રોફી નામ આપ્યું છે.
હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાતનો પહેલો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો છે. T20 માં આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધીમાં કુલ 8 ખેલાડીઓએ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. હાર્દિક પંડ્યા 9મો કેપ્ટન બન્યો. સાઉથ આફ્રિકા સામેની વર્તમાન ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિકને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. IPL 2022માં હાર્દિકે ડેબ્યૂ સિઝનમાં જ તેની ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી હતી. ભારતીય ટીમમાં પંડ્યાનુ કામ ઝડપ થી રન બનાવવાનુ છે. તેની બેટીંગ ને લઇને ટીમ પણ ઘણી વાર મુશ્કેલીમાંથી બહાર આવી શકી છે.