AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાને મળ્યા 5 સારા સમાચાર, વર્લ્ડ કપમાં વધશે તાકાત

જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા તેમના રિહેબના અંતિમ તબક્કામાં છે. BCCIએ કેએલ રાહુલ, રિષભ પંત, જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યરને મેડિકલ અપડેટ પણ આપ્યા હતા.

ટીમ ઈન્ડિયાને મળ્યા 5 સારા સમાચાર, વર્લ્ડ કપમાં વધશે તાકાત
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 7:54 PM
Share

ટીમ ઈન્ડિયા (Team India)ની સામે આ વર્ષનો સૌથી મોટો ટાર્ગેટ વર્લ્ડ કપ છે અને તેના માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને 5 સારા સમાચાર મળ્યા છે અને આ ખુશખબર શુક્રવારે BCCI દ્વારા આપવામાં આવી છે. BCCI એ ખેલાડીઓની ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું છે જેઓ છેલ્લા કેટલાક સમયથી ટીમમાં અભાવ અનુભવી રહ્યા છે. BCCIએ જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah), KL રાહુલ, રિષભ પંત (Rishabh Pant) સહિત 5 ખેલાડીઓના મેડિકલ અપડેટ આપ્યા છે.

બુમરાહ-પ્રસિદ્ધ કૃષ્ણા રિહેબના અંતિમ તબક્કામાં

પાંચેય ખેલાડીઓ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ પર છે. પાંચ ખેલાડીઓ મેચ માટે કેટલા ફિટ છે અને તેઓ કેટલો સમય મેદાન પર આવી શકે છે. BCCIએ આ અંગે માહિતી આપી હતી.

ભારતના 2 સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા તેમના રિહેબના અંતિમ તબક્કામાં છે અને બંને નેટ્સમાં પૂરા જોશ સાથે બોલિંગ કરી રહ્યા છે. બંને કેટલીક પ્રેક્ટિસ મેચ પણ રમશે, જેનું સંચાલન NCA કરશે. પ્રેક્ટિસ મેચ બાદ મેડિકલ ટીમ બુમરાહ અને કૃષ્ણાની ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે અંતિમ નિર્ણય લેશે.

રાહુલ અને અય્યરે બેટિંગ શરૂ કરી

ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે અને હાલમાં તેઓ સ્ટ્રેન્થ અને ફિટનેસ એક્સરસાઇઝ કરી રહ્યા છે. BCCIની મેડિકલ ટીમ તેની પ્રગતિથી ઘણી ખુશ છે.

આવનારા સમયમાં તેમની આવડત, સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગના આધારે બંનેનો વર્કલોડ વધશે. IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે શ્રેયસ અય્યરને આ વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઈજા થઈ હતી.

આ પણ વાંચો : Rich Tennis Players: ટેનિસ જગતમાં ભારતનું નવું નામ ‘રાજીવ રામ’, કમાયા છે 66 કરોડ

View this post on Instagram

A post shared by Rishabh Pant (@rishabpant)

પંતે વિકેટકીપિંગની શરૂઆત કરી

વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત, જે ગયા વર્ષના અંતમાં માર્ગ અકસ્માતને કારણે ક્રિકેટથી દૂર હતો, તે તેના રિહેબમાં ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છે. નેટ્સમાં બેટિંગની સાથે તેણે વિકેટકીપિંગની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. તે ફિટનેસ પ્રોગ્રામને અનુસરી રહ્યો છે જે તેના માટે બનાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં તાકાત, દોડવાનો સમાવેશ થાય છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">