T20 World Cup: ઓમાન અને UAE માં રમાનારા T20 વિશ્વકપની તારીખોની જાહેરાત, જાણો ક્યારથી રમાશે ટૂર્નામેન્ટ

T20 વિશ્વકપ (World Cup) ની તારીખોને લઇને ચાલતી અટકળોનો અંત લાવતા ICC એ એલાન કરી આજે કરી દીધુ છે. વિદેશી ધરતી પર BCCI ના આયોજક હક સાથે રમાનારી ટૂર્નામેન્ટના શિડ્યુલને લઇને રાહ જોવી રહી છે.

T20 World Cup: ઓમાન અને UAE માં રમાનારા T20 વિશ્વકપની તારીખોની જાહેરાત, જાણો ક્યારથી રમાશે ટૂર્નામેન્ટ
T20 World Cup
Follow Us:
| Updated on: Jun 29, 2021 | 5:58 PM

T20 વિશ્વકપ (World Cup) ની તારીખોને લઇને વિશ્વભરના ક્રિકેટ ફેન્સ, વિશ્લેષકો અને ક્રિકેટરો રાહ જોઇ રહ્યા હતા. પરંતુ તેની આતુરતાનો અંત આવી ચુક્યો છે. ICC એ મંગળવારે T20 વિશ્વકપ શરુ થવાની તારીખોને જાહેર કરી છે. જે મુજબ આગામી 17 ઓક્ટોબર થી 14 નવેમ્બર દરમ્યાન ટૂર્નામેન્ટ રમાશે. UAE અને ઓમાન (Oman) માં રમાનારા T20 વિશ્વકપના આયોજક હક્ક BCCI પાસે રહેશે.

અગાઉ BCCI સેક્રટરી જય શાહે (Jay Shah) મંગળવારે જાહેર કર્યુ હતુ કે, T20 વિશ્વકપ UAEમાં રમાનાર છે. આમ ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતિને ધ્યાને રાખીને ટૂર્નામેન્ટને UAE અને ઓમાનમાં ખસેડવામાં આવી છે જેની હવે ICC એ ઘોષણા કરી દીધી છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

આઇસીસી એ તારીખો જાહેર કરવા સાથે બતાવ્યુ હતુ કે, UAE અને ઓમાનના ચાર મેદાનો પર T20 વિશ્વકપની મેચો રમાનાર છે. જેમાં દુબઇ નુ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, શારજાહ અને અબુધાબીનુ સેખ ઝાયદ સ્ટેડિયમ ઉપરાંત ઓમાનના ક્રિકેટ એકડમી ગ્રાઉન્ડ પર વિશ્વકપની મેચ રમાનાર છે. ગત વર્ષ 2020 ના દરમ્યાન ઓસ્ટ્રેલીયામાં T20 વિશ્વકપ યોજાનાર હતો જે કોરોનાને લઇને સ્થગીત કરવામાં આવ્યો હતો.

આઇસીસી CEO જ્યોફ અલાર્ડાઇસ એ કહ્યુ હતુ, અમારી પ્રાથમિકતા છે કે, અમે ICC મેન્સ ટ20 વિશ્વકપ સુરક્ષિત રીતે આપવામાં આવેલા વિન્ડોમાં આયોજીત કરાવીએ. અમે બીસીસીઆઇ, અમિરાત ક્રિકેટ બોર્ડ અને ઓમાન ક્રિકેટ સાથે સતત સંપર્કમાં રહીશુ. જેનાથી ફેન્સને ક્રિકેટના આ ઉત્સવનો પૂરો આનંદ માણવા મળે.

તારીખોના એલાન બાદ હવે, BCCI એ આઇપીએલ 2021 નુ આયોજન 17 ઓક્ટોબર પહેલા જ સમાપ્ત કરી લેવુ પડશે. આઇપીએલ 2021 ને 29 મેચો બાદ કોરોના વાયરસના સંક્રમણના બાયોબબલમાં ફેલાવાને લઇને સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ બાકીની 31 મેચના આયોજનને UAEમાં રમાડવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આમ હવે T20 વિશ્વકપ અને આઇપીએલ 2021 એક જ સ્થળે આયોજીત થશે.

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">