AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારત સામેના મહામુકાબલા પહેલા પાકિસ્તાન ટીમમાં ભંગાણ, ખેલાડીઓ કેપ્ટનથી નારાજ

ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં હાર બાદ દબાણમાં બાબર આઝમે સુકાની પદેથી રાજીનામું આપવું પડ્યું હતું, ત્યારબાદ શાહીન શાહ આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, શાહીનને માત્ર એક સિરીઝ બાદ હટાવી દેવામાં આવ્યો હતો અને બાબરને T20 વર્લ્ડ કપ પહેલા ફરીથી કેપ્ટનશિપ આપવામાં આવી હતી. હવે T20 વર્લ્ડ કપની પહેલી મેચમાંઆ હાર થતા ફરી બાબર આઝમ બધાના નિશાના પઆર આવી ગયો છે.

IND vs PAK: ભારત સામેના મહામુકાબલા પહેલા પાકિસ્તાન ટીમમાં ભંગાણ, ખેલાડીઓ કેપ્ટનથી નારાજ
Babar Azam
| Updated on: Jun 07, 2024 | 8:04 PM
Share

પાકિસ્તાન ક્રિકેટમાં કોઈ દિવસ સામાન્ય નથી હોતો. હંમેશા કોઈને કોઈ વિવાદ હોય છે. મેદાનની અંદર હોય કે બહાર, પાકિસ્તાન ક્રિકેટ હંમેશા લોકોને નવો મસાલો આપે છે. ખાસ કરીને જો મોટી ટુર્નામેન્ટ ચાલી રહી હોય તો ડ્રામા ચોક્કસ છે. જો ટીમ સારું કરે છે તો તે શાનદાર છે, પરંતુ જો પ્રદર્શન થોડું પણ બગડે છે તો તે સરળતાથી ટીમમાં વિભાજન તરફ દોરી શકે છે અને ફરી એકવાર એવું જ કંઈક થવા લાગે છે. T20 વર્લ્ડ કપ 2024ની પોતાની પહેલી જ મેચમાં અમેરિકાના હાથે શરમજનક હાર બાદ ટીમમાં ફરી તણાવ જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે કેપ્ટન બાબર આઝમ.

USA સામે પાકિસ્તાનની હાર

ગુરુવાર, 6 જૂને, પાકિસ્તાની ટીમ ડલાસમાં વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ રમવા આવી હતી. તેની સામે યજમાન યુએસએ હતું, જે પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહ્યું હતું. કોઈપણ સ્તરના ક્રિકેટમાં પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની આ પહેલી મેચ હતી અને દરેકને આશા હતી કે પાકિસ્તાન સરળતાથી જીતશે પરંતુ અમેરિકાએ મોટો અપસેટ કરીને બધાને ચોંકાવી દીધા. અમેરિકન ટીમે પાકિસ્તાનને રોમાંચક સુપર ઓવરમાં હરાવીને તેના ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી.

બાબરની સરમુખત્યારશાહીથી ખેલાડીઓ નારાજ

સ્વાભાવિક રીતે આ પરિણામ વિશ્વ ક્રિકેટ માટે ખૂબ જ ચોંકાવનારું હતું પરંતુ પાકિસ્તાની ટીમ અને તેના ચાહકો માટે આ આંચકાથી ઓછું ન હતું. મેચ બાદ તેની એક ઝલક પણ જોવા મળી હતી, જ્યાં પૂર્વ ક્રિકેટર્સ અને ફેન્સ ટીવીથી લઈને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ખુદ કેપ્ટન બાબર આઝમ પણ મેચ બાદ ઈન્ટરવ્યુમાં પોતાના જ ખેલાડીઓ પર પોતાનો ગુસ્સો કાઢતો જોવા મળ્યો હતો.

મેચના બીજા દિવસે મતભેદના અહેવાલો સામે આવ્યા

હંમેશની જેમ મેચના બીજા દિવસે પણ પાકિસ્તાની ટીમમાં નારાજગી અને મતભેદના અહેવાલો સામે આવ્યા છે, જેનું કારણ કેપ્ટન બાબર છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલના રિપોર્ટર અરફા ફિરોઝ જેકે એક ટ્વિટમાં સનસનાટીભર્યો દાવો કર્યો છે કે પાકિસ્તાની ખેલાડીઓ ટીમના કેપ્ટન બાબર આઝમની તાનાશાહી માનસિકતાથી ખુશ નથી અને હવે તે ટીમમાં તણાવનું મુખ્ય કારણ બની ગયું છે.

સિનિયર ખેલાડીઓની સલાહ નથી લેતો

તેનું મુખ્ય કારણ બાબર આઝમના વિચિત્ર નિર્ણયો હોવાનું માનવામાં આવે છે. સ્વાભાવિક રીતે, તે કેપ્ટન છે, તેથી મેદાન પરનો દરેક નિર્ણય તેનો જ હશે, પરંતુ ઘણીવાર સિનિયર ખેલાડીઓ કેપ્ટનને સૂચનો આપતા રહે છે, જેને ઘણીવાર વિશ્વભરના કેપ્ટનો સ્વીકારે છે. પાકિસ્તાની ટીમમાં આ દેખાતું નથી અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબર તેના સાથી ખેલાડીઓના સૂચન પણ સાંભળતો નથી, જેના કારણે ઘણા ખેલાડીઓ ચિડાઈ ગયા છે.

શાહીન આફ્રિદીને હટાવી બાબરને કેપ્ટન બનાવ્યો

તેની એક ઝલક પાકિસ્તાનની બોલિંગ દરમિયાન પણ જોવા મળી, જ્યારે તેની ઓવર પૂરી કર્યા બાદ મોહમ્મદ આમિરે અન્ય ફાસ્ટ બોલરને ઓવર આપવાનું સૂચન કર્યું પરંતુ બાબરે સ્પિનરને બોલિંગ આપી. ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં ટીમની કારમી હાર બાદ બાબર આઝમે રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ શાહીન શાહ આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેને પણ એક સિરીઝ બાદ હટાવી દેવામાં આવ્યો હતો અને બાબરને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : T20 WC : ન્યૂયોર્કમાં ક્રિકેટ અને ક્રિકેટરો સાથે થઈ ગયો ખેલ, ICCએ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ભૂલ સ્વીકારી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
g clip-path="url(#clip0_868_265)">