AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: T20 વર્લ્ડ કપને લઈને ICCનો મોટો નિર્ણય, હવે કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ રમી શકશે મેચ

ICC એ જાહેરાત કરી છે કે, જે ખેલાડીઓ કોવિડ-19 પોઝિટિવ છે તેમને T20 વર્લ્ડ કપની મેચોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

T20 World Cup 2022: T20 વર્લ્ડ કપને લઈને ICCનો મોટો નિર્ણય, હવે કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ રમી શકશે મેચ
હવે કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ રમી શકશે મેચImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 1:59 PM
Share

T20 World Cup 2022: T20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) જાહેરાત કરી કે, જે ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હશે તે પણ ટી20 વર્લ્ડકપની તમામ મેચમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે. હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022)માં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહેલા વર્લ્ડકપની ફાઈનલ ટક્કર 13 નવેમ્બરે રમાશે.

આઈસોલેશનમાંથી પણ છુટકારો

આ સિવાય નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને ફરજિયાત કોવિડ-19 ટેસ્ટ આપવાની ફરજ પાડવામાં આવશે નહીં. આ ઉપરાંત જો કોઈ ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થાય છે, તો તેણે ફરજિયાત આઇસોલેશનમાંથી પસાર થવું પડશે નહીં. જો કોઈ ખેલાડી કોરોના પોઝિટીવ છે, તો તેના રમવા અંગેનો નિર્ણય સંબંધિત ટીમના તબીબી સ્ટાફ દ્વારા લેવામાં આવશે. ટીમના ડૉક્ટર નક્કી કરશે કે ખેલાડીને રમવાની મંજૂરી આપવી કે નહીં.

કોવિડ-19 સંબંધિત આઇસોલેશન નિયમો

કોઈપણ ખેલાડીનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે છે તો ટીમની સ્કવોર્ડમાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવશે ત્યારબાદ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ખેલાડી સ્કવોર્ડમાં જોડાઈ શકશે. ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા કોરોના સંક્રમિત વ્યક્તિ માટે કોવિડ-19 સંબંધિત આઇસોલેશન નિયમો આ અઠવાડિયે સમાપ્ત થયા છે. કેટલાક આવા જ નિયમ બર્મિંગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ જોવા મળ્યા હતા.

ટ્રોફી માટે 16 ટીમો મેદાનમાં ઉતરશે. સુપર-12માં આઠ ટીમોને સીધી જગ્યા મળી છે. 8 ટીમો પ્રથમ રાઉન્ડમાં રમશે. 4 ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપમાંથી ટોપ 2 ટીમ સુપર-12માં પ્રવેશ કરશે. ભારતીય ટીમ 15 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટ જીતવા જશે. તે છેલ્લે 2007માં પ્રથમ વર્લ્ડ કપ દરમિયાન ચેમ્પિયન બની હતી. તેમની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.

ટીમ ઈન્ડિયાનો સુપર-12 તબક્કો

  • ભારત Vs પાકિસ્તાન – 23 ઓક્ટોબર, 13:30 IST, મેલબોર્ન
  • ભારત Vs રનર-અપ (ગ્રુપ A) – 27 ઓક્ટોબર, 12:30 IST, સિડની
  • ભારત Vs દક્ષિણ આફ્રિકા – 30 ઓક્ટોબર , 16:30 IST, પર્થ
  • ભારત Vs બાંગ્લાદેશ – 2 નવેમ્બર, 13:30 IST, એડિલેડ
  • ભારત Vs વિજેતા (ગ્રુપ બી) – 6 નવેમ્બર, 13:30 IST, મેલબોર્ન

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">