T20 World Cup : એડિલેડમાં ટીમ ઈન્ડિયાને નહીં મળે જીત, આશાઓ પર પાણી ફરી વળશે!

2 નવેમ્બરે રમાનારી મેચ ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) બંને માટે મહત્વની છે. પરંતુ મોટી વાત એ છે કે, આ મહત્વપૂર્ણ મેચ પર વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે.

T20 World Cup : એડિલેડમાં ટીમ ઈન્ડિયાને નહીં મળે જીત, આશાઓ પર પાણી ફરી વળશે!
T20 World Cup: એડિલેડમાં ટીમ ઈન્ડિયાને નહીં મળે જીત, આશાઓ પર પાણી ફરી વળશે Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 4:54 PM

T20 World Cupમાં ભારતની આગામી મેચ એડિલેડમાં છે. આ મેચ માટે ભારતીય ટીમના ખેલાડી પર્થ માટે પણ રવાના થયા છે. ભારત અને બાંગ્લાદેશ બંન્ને માટે 2 નવેમ્બરના રોજ રમાનારી મેચ મહત્વની છે પરંતુ મોટી વાત એ પણ છે કે, આ મહત્વની મેચમાં ભારતીય ટીમ જીતી શકશે નહિ અને માત્ર ભારતીય ટીમ જ નહિ પરંતુ બાંગ્લાદેશ સાથે પણ આવું થઈ શકે છે હવે તમે પુછશો કે, આવું કઈ રીતે ? તો આનું કારણ છે આ બંન્ને ટીમોની આશા પર પાણી ફરવાનું છે.

શહેરમાં વરસાદની પ્રબળ સંભાવના

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એડિલેડમાં 2 નવેમ્બરે મેચ રમાશે. અને તે દિવસે ત્યાંના હવામાનનો મૂડ પણ બગડી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે દિવસે ઓસ્ટ્રેલિયાના આ શહેરમાં વરસાદની પ્રબળ સંભાવના છે. ખાસ કરીને ભારત-બાંગ્લાદેશ મેચ શરૂ થવાના સમયે. હવે જો આવું થશે તો મેચ ક્યાં રમાશે? અને, જ્યારે મેચ જ નથી ત્યારે કોણ જીતશે અને કોણ હારશે?

એડિલેડમાં પાણી-પાણી

એડિલેડમાં હવામાન વિશે આવી રહેલા સમાચાર મુજબ તે દિવસે વાદળછાયું આકાશ રહેશે. 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે સાંજે વરસાદ પણ વરસી શકે છે. 2 નવેમ્બરના રોજ એડિલેડમાં 60-70 ટકા વરસાદ પડી શકે છે.

એડિલેડમાં હવામાનના પેટર્નની અસર સ્પષ્ટ છે કે, તેની અસર ભારત-બાંગ્લાદેશ મેચ પર પડશે. જો મેચ ધોવાઇ જશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશેબાંગ્લાદેશથી મેચ હારવી એ ભારત માટે સારો સંકેત નથી, કારણ કે તે તેમના સેમિફાઇનલ સમીકરણને બગાડશે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી મેચ રમવી અને જીતવી એ સારું રહેશે.

પોઈન્ટ ટેબલમાં ભારત-બાંગ્લાદેશની સ્થિતિ

ચાલો આપણે પોઈન્ટ ટેબલની પરિસ્થિતિ જોઈએ તો પોઈન્ટ ટેબલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પોઈન્ટ ટેબલમાં માત્ર રન રેટનો તફાવત છે. અને આ જ કારણ છે કે 2 નવેમ્બરે એડિલેડમાં રમાનારી મેચ મહત્વપૂર્ણ છે, જ્યાં બંને ટીમો માટે જીતવું જરૂરી છે.

સૌથી પહેલા જાણી લો કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટના સેમિ-ફાઇનલ રાઉન્ડ માટે કેવી રીતે ક્વોલિફાય કરી શકે છે. આ માટે સૌથી સરળ રસ્તો એ છે કે ટીમ ઈન્ડિયા હવે તેની બાકીની બે મેચ જીતે. એટલે કે જેણે 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે રમવાનું છે. અને, બીજી મેચ જે 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમવાની છે. આ બે મેચ જીત્યા બાદ તેને 8 પોઈન્ટ મળશે અને તે સરળતાથી સેમીફાઈનલમાં જઈ શકશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">