AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ભારતીય પ્રશંસકો સાથે સમસ્યા છે’…રવીન્દ્ર જાડેજા મુદ્દે ફેન્સ પર ગુસ્સે થઈ ગયા સુનીલ ગાવસ્કર

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની વિજયયાત્રા ચાલુ છે. ભારતીય ટીમે સુપર 8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જો કે, ભારતની જીત વચ્ચે સુનીલ ગાવસ્કરે ભારતીય ચાહકો પર સવાલ ઉભા કર્યા અને આ બધું રવીન્દ્ર જાડેજાને લઈને થયું.

'ભારતીય પ્રશંસકો સાથે સમસ્યા છે'...રવીન્દ્ર જાડેજા મુદ્દે ફેન્સ પર ગુસ્સે થઈ ગયા સુનીલ ગાવસ્કર
Sunil Gavaskar & Ravindra Jadeja
| Updated on: Jun 25, 2024 | 7:56 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ ગર્વ સાથે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશી છે. ટીમ ઈન્ડિયાએ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર જીત મેળવીને સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી છે અને હવે રોહિત એન્ડ કંપનીની ઈંગ્લેન્ડ સામે 27મી જૂને નોકઆઉટ મેચ થશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેમણે દરેક મેચ જીતી છે, પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ફેન્સ પર સવાલો ઉભા કર્યા છે. સુનીલ ગાવસ્કરે રવીન્દ્ર જાડેજા અંગે પૂછવામાં આવેલ સવાલ પર ભારતીય ચાહકોને આડે હાથ લીધા હતા.

ગાવસ્કર ભારતીય ચાહકો પર ગુસ્સે થયા

ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ જાડેજાના પ્રદર્શન અંગે સુનીલ ગાવસ્કરને સવાલ કરવામાં આવ્યો. જેના પર ગાવસ્કરે કહ્યું, ‘રવીન્દ્ર જાડેજાના પ્રદર્શનથી હું બિલકુલ ચિંતિત નથી, કારણ કે તે ખૂબ જ અનુભવી ખેલાડી છે. આપણે જાડેજા પર સવાલ ઉઠાવવા અંગે વિચારવું પણ ન જોઈએ. સમસ્યા ભારત અને ભારતીય ચાહકોની છે. બે ખરાબ મેચ પછી ચાલુ પડી જાય છે.’

જાડેજાના પ્રદર્શન પર સવાલો ઉભા થયા

રવીન્દ્ર જાડેજા માટે T20 વર્લ્ડ કપ 2024 ઘણો ખરાબ સાબિત થયો છે. આ ખેલાડી 3 ઈનિંગ્સમાં માત્ર 16 રન જ બનાવી શક્યો છે અને બોલિંગમાં 6 મેચમાં તેના નામે માત્ર એક જ વિકેટ છે. જાડેજા ઓસ્ટ્રેલિયા સામે ફિલ્ડિંગમાં પણ નબળો દેખાતો હતો અને તેણે એક સરળ કેચ છોડ્યો હતો. જાડેજાના આ પ્રદર્શન બાદ તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

રોહિત શર્માને જાડેજા પર વિશ્વાસ છે

જોકે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને તેના પર વિશ્વાસ છે અને તેથી જ તે દરેક મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં રહે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાડેજા સેમીફાઈનલમાં સારૂ પ્રદર્શન કરશે અને ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં લઈ જશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 27 જૂને ગયાનામાં સેમીફાઈનલ રમાશે. આ બંને ટીમો 2022માં T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પણ સામસામે આવી હતી.

આ પણ વાંચો: AFG vs BAN : નકલી ઈજાના આરોપનો અફઘાન ખેલાડી ગુલબદિન નાયબે આપ્યો અદ્ભુત જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">