AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી, સૂર્યકુમાર યાદવ સિઝનની તમામ મેચ નહીં રમી શકે!

આ સિઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાની હેઠળ, ટીમ તેની પ્રથમ મેચ 24 માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે રમશે. પરંતુ શક્ય છે કે ટીમનો મહત્વનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ મેચમાં ન રમે, જે હાલમાં NCAમાં પોતાની ઈજા પર કામ કરી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી, સૂર્યકુમાર યાદવ સિઝનની તમામ મેચ નહીં રમી શકે!
Suryakumar Yadav
| Updated on: Mar 12, 2024 | 8:24 PM
Share

પાંચ વખતની વિજેતા અને આ સિઝનમાં નવો કેપ્ટન ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને IPL2024ની શરૂઆત પહેલા જ આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે IPLની શરૂઆતની મેચોમાં રમવું ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. હાલમાં તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને તેની ઈજા પર કામ કરી રહ્યો છે.

સૂર્યા IPLની શરૂઆતની મેચો ગુમાવશે

તાજેતરમાં જ તેણે સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી. આ કારણોસર તે ક્રિકેટથી દૂર છે. આ ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. આ ઈજાના કારણે તેને IPLની શરૂઆતની મેચોમાં રમવામાં મુશ્કેલી પડી રહી છે.

મુંબઈની પહેલી મેચ ગુજરાત સામે

આ સિઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાની હેઠળ, ટીમ તેની પ્રથમ મેચ 24 માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આ એ જ ટીમ છે જે પાછલી બે સિઝનમાં પંડ્યાના નેતૃત્વમાં હતી અને એક વખત ચેમ્પિયન અને એક વાર રનર્સ અપ રહી ચૂકી છે.

બે મેચમાંથી થયો બહાર

ઈજાના કારણે સૂર્યકુમાર આ સિઝનની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ શકે છે. સૂર્યકુમારનું રિહેબ ટ્રેક પર છે અને તે ટૂંક સમયમાં IPLમાં પરત ફરશે. BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે NCAની સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ટીમ સૂર્યકુમારને પ્રથમ બે મેચમાં રમવા માટે ક્લિયરન્સ આપશે કે નહીં. ગુજરાત બાદ મુંબઈને બીજી મેચ 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે. મુંબઈને આ બંને મેચ ઘરથી દૂર રમવાની છે.

સખત મહેનત કરી રહ્યો છે સૂર્યકુમાર

જો કે, સૂર્યકુમાર તેની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે જેથી તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ શકે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરતો રહે છે જે દર્શાવે છે કે તે સાચા માર્ગ પર છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. સૂત્રએ કહ્યું કે મુંબઈની પ્રથમ મેચમાં હજુ 12 દિવસ બાકી છે અને ત્યાં સુધી ફિટ થવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. સૂર્યકુમાર T20માં નંબર-1 બેટ્સમેન છે. તેની પ્રતિભા આ ફોર્મેટમાં બોલે છે. તેની ગેરહાજરી ચોક્કસપણે મુંબઈ માટે મોટી ખોટ છે.

આ પણ વાંચો : શાહીન આફ્રિદીની કેપ્ટનશીપ જવાની છે? હવે આ ખેલાડી પાકિસ્તાન ટીમની કમાન સંભાળી શકે છે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">