પુજારા અને રહાણેના ખરાબ પ્રદર્શનને લઇને સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્વનું નિવેદન

ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રણજી ટ્રોફીમાં રમવાની સલાહ આપી. આ બંને ખેલાડીઓ લાંબા સમયથી મોટો સ્કોર કરવામાં નિષ્ફળ જઇ રહ્યા છે.

પુજારા અને રહાણેના ખરાબ પ્રદર્શનને લઇને સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્વનું નિવેદન
Cheteshwar Pujara and Ajinkya Rahane (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:45 PM

ભારતીય ટેસ્ટ ટીમમાં સીનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મથી ઝઝુમી રહ્યા છે અને બંનેની ટીમમાં જગ્યાને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ મુદ્દે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને (Sourav Ganguly) આશા છે કે સીનિયર ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે રણજી ટ્રોફીમાં રમશે અને રન બનાવશે.

જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાએ ભારત સામે 2-1થી ટેસ્ટ શ્રેમી જીતી લીધી હતી. જેમાં અજિંક્ય રહાણે 6 ઇનિંગમાં માત્ર 136 રન અને ચેતેશ્વર પુજારાએ 6 ઇનિંગમાં માત્ર  135 રન બનાવ્યા હતા. બંને પર ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા બનાવવાને લઇને દબાણ હતું.

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અંગે કહ્યું કે તેઓ બન્ને ઘણા સારા ખેલાડી છે. મને આશા છે કે રણજી ટ્રફીમાં આ બન્ને ખેલાડીઓ વાપસી કરશે અને ઘણા બધા રન બનાવશે. જે મને ખરેખર આશા છે કે રન બનાવશે. તેમાં મને કોઇ જ સમસ્યા દેખાઇ નથી રહી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રણજી ટ્રોફીને લઇને શું બોલ્યા બીસીસીઆઈ અધ્યક્ષ

ભારતના પૂર્વ સુકાની અને બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રણજી ટ્રોફીને લઇને કહ્યું કે રણજી ટ્રોફી એક ઘણી મોટી ટુર્નામેન્ટ છે અને અમે બધા જ આ ટુર્નામેન્ટ રમી છે. એટલા માટે આ બંને ખેલાડીઓ ત્યા ફરીથી જશે અને પ્રદર્શન કરશે. તેમણે ભુતકાળમાં ટુર્નામેન્ટ રમી છે. જ્યારે તે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હતા અને વન-ડે કે ટી20 ટીમનો ભાગ ન હતા. એટલા માટે તેમના માટે આ કોઇ મોટી મુશ્કેલ બાબત નહીં હોય.

બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું કે આ ભારતમાં સૌથી મહત્વપુર્ણ ટુર્નામેન્ટ છે અને અમે તેને કાયમ આયોજીત કરવા માંગીએ છીએ. પણ વિશ્વમાં છેલ્લા 2 વર્ષથી જે થઇ રહ્યું છે તે જોતા તે સમયે ટુર્નામેન્ટનું આયોજન કરવું ઘણું અઘરું હતું. પરંતુ હવે અમે રણજી ટ્રોફીના આયોજનને લઇને તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : IPL 2022 ને લઇને સૌરવ ગાંગુલીએ BCCI નું જણાવ્યું પ્લાનિંગ, જાણો ક્યા શહેરોમાં રમાશે લીગની મેચ

આ પણ વાંચો : India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે પિંક-બોલ ટેસ્ટ મેચ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપી જાણકારી

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">