AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLમાં ધમાલ મચાવનાર રિંકુ સિંહને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન

ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા જાહેરાત કરવામાં આવ્યા બાદ કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો છે.

IPLમાં ધમાલ મચાવનાર રિંકુ સિંહને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 12:04 AM
Share

IPL 2023માં આ વર્ષે અનેક યુવા ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાની દાવેદારી નોંધાવી હતી. જેમાં અમુક ખેલાડી સફળ થયા છે જ્યારે કેટલાક ખેલાડીઓ હજી પણ આ તકની રાહ જોઈ રહ્યા છે. જેમાં એક નામ કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહનું છે.

વિન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે, જેમાં અનેક યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર જેવા યુવા સ્ટાર્સ સામેલ છે. આ ટીમની કમાન હાર્દિક પંડયાના હાથમાં છે, જ્યારે વાઇસ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવને જવાબદારી સોંપવામાં આવી છે.

રિંકુ સિંહની અવગણવામાં કરવામાં આવી

T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા અનેક દાવેદારો હતા, જેમાં રિંકુ સિંહનું નામ સૌથી ઉપર હતું. છતાં તેની અવગણના કરવામાં આવી છે અને તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય અન્ય એક યુવા ખેલાડી જીતેશ શર્માને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

આ પણ વાંચો : જે સચિન ના કરી શક્યો, અગરકરે કરી બતાવ્યું હતું, જાણો આ ખાસ રેકોર્ડ વિશે

રિંકુ સિંહનું IPL 2023માં શાનદાર પ્રદર્શન

IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા રિંકુ સિંહે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. રિંકુ સિંહે IPLમાં એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. આ સિવાય પણ આખી સિઝનમાં દમદાર બેટિંગ અને લાજવાબ ફિલ્ડિંગથી રિંકુ સિંહે અનેક એવોર્ડ પણ જીત્યા હતા. છતાં તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

T20 સિરીઝ માટેની ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન, મુકેશ કુમાર.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">