AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : રોહિત બાદ હવે આ ચેમ્પિયન કેપ્ટન પણ ગુમાવશે કપ્તાની ! IPL 2025 પહેલા મોટું અપડેટ

IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના વર્તુળમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ આગામી સિઝન પહેલા પોતાના કેપ્ટન બદલી શકે છે. KKR ટીમે શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ગત સિઝનમાં ટ્રોફી જીતી હતી.

IPL 2025 : રોહિત બાદ હવે આ ચેમ્પિયન કેપ્ટન પણ ગુમાવશે કપ્તાની ! IPL 2025 પહેલા મોટું અપડેટ
Hardik Pandya & Shreyas IyerImage Credit source: PTI
| Updated on: Oct 21, 2024 | 4:57 PM
Share

IPL 2025 પહેલા એક મેગા ઓક્શન થશે, જેના માટે તમામ ટીમો ટૂંક સમયમાં જ રિટેન્શન લિસ્ટ જાહેર કરશે. આ વખતે દરેક ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. ગત સિઝનની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ કયા ખેલાડીઓને જાળવી રાખશે તે પણ મોટો પ્રશ્ન છે. આ ટીમને ચેમ્પિયન બનાવવા માટે ગત સિઝનમાં ઘણા ખેલાડીઓએ યોગદાન આપ્યું હતું. આ સાથે જ કેપ્ટન શ્રેયસ અય્યર ટ્રોફીના દુકાળને ખતમ કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ હવે KKR કેમ્પમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

શું KKR શ્રેયસને દૂર ટીમમાંથી બહાર કરશે?

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આગામી સિઝનમાં એકદમ બદલાયેલી જોવા જઈ રહી છે. મેન્ટર ગૌતમ ગંભીર, સહાયક કોચ અને એકેડમીના વડા અભિષેક નાયર અને સહાયક કોચ રેયાન ટેન ડોશેટે ટીમ છોડી દીધી છે, આ તમામ દિગ્ગજો હાલમાં ટીમ ઈન્ડિયા સાથે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટીમ નવા કોચિંગ સ્ટાફ સાથે મેદાનમાં ઉતરશે. હવે સમાચાર આવી રહ્યા છે કે શ્રેયસ અય્યર આગામી સિઝનમાં ટીમનો કેપ્ટન રહેશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

KKR શ્રેયસને ટોચ પ્લેયર તરીકે રિટેન નહીં કરે

એક અહેવાલ અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ શ્રેયસ અય્યરને રિટેન કરવા માટે તૈયાર છે, પરંતુ તે તેની ટોચના પ્લેયર તરીકે રિટેન નહીં કરે. આવી સ્થિતિમાં, જો અય્યરની પસંદ મુજબ વસ્તુઓ ન થાય તો તે હરાજીમાં પ્રવેશવાનો નિર્ણય પણ લઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આન્દ્રે રસેલ ટીમનો ટોપ રિટેન્શન બની શકે છે. શ્રેયસ અય્યર IPL 2022 પહેલા KKR ટીમ સાથે જોડાયો હતો. KKRએ તેને હરાજીમાં 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને પછી તેને કેપ્ટન બનાવ્યો.

પંજાબ કિંગ્સ શ્રેયસ માટે મોટી બોલી લગાવશે?

જો શ્રેયસ અય્યર હરાજીમાં આવે છે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ જેવી ટીમો તેના પર મોટી બોલી લગાવી શકે છે. આ ટીમોને આગામી સિઝન પહેલા નવા કેપ્ટનની જરૂર છે. પંજાબ કિંગ્સે હાલમાં જ રિકી પોન્ટિંગને તેમની ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. રિકી પોન્ટિંગ અને શ્રેયસ અય્યરે દિલ્હીની ટીમ માટે સાથે કામ કર્યું છે, તેથી પંજાબ કિંગ્સની ટીમ પણ તેમના પર દાવ લગાવી શકે છે.

આ પણ વાંચો: લંડન, દુબઈ, સિંગાપોર નહીં, આ શહેરમાં યોજાશે IPL 2025ની મેગા ઓક્શન, BCCIએ લીધો મોટો નિર્ણય !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

હાઈ વૉલ્ટેજ મેચમાં 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી હાજર રહેશે
હાઈ વૉલ્ટેજ મેચમાં 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી હાજર રહેશે
અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
g clip-path="url(#clip0_868_265)">